April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલીના દાદરા ગામે એક કંપનીના ગોડાઉનમાંથી પેપરબોર્ડની ચોરીની ઘટનામા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 14.63 ટન પેપર બોર્ડ અને ગુનામાં વપરાયેલ વાહનો જપ્ત કરવામાં આવ્‍યા છે. દાદરા ગામની એસ.એસ.પેકેજીંગ કંપનીના પ્રતિનિધિ સિદ્ધાંત જયદીપ સાવલા દ્વારા 1લી એપ્રિલથી 30 એપ્રિલ વચ્‍ચે કંપનીના ગોડાઉનમાં અજાણ્‍યા વ્‍યક્‍તિઓ ઘુસી 28.3 ટન પેપર બોર્ડ જેની કિંમત અંદાજીત રૂા. 28,30000ની ચોરી કરેલ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આઈપીસીની ધારા 380, 454, 457, 411, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ દાદરા આઉટ પોસ્‍ટના હેડ કોન્‍સ્‍ટેબલ એન.બી.રાઠોડને સોંપવામાં આવી હતી. સેલવાસ પોલીસ સ્‍ટેશનના એસએચઓના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી તપાસ દરમ્‍યાન પાંચ આરોપીઓ ઈરશાદ અહમદ અસફાક (ઉ.વ.37) રહેવાસી બલીઠા, વાપી. મોહમ્‍મ્‍દ નરૂલ્લા ખાન (ઉ.વ.38) રહેવાસી ડુંગરી ફળિયા વાપી, અકરમ રમજાન ખાન (ઉ.વ.40) રહેવાસી ડુંગરા વાપી, હિતેશ ઉર્ફે લલ્લુ રાજુભાઈ પટેલ (ઉ.વ.36) રહેવાસી ડુંગરા, વાપી, અચલ ભીમજુભાઈ વળવી (ઉ.વ.27) રહેવાસી કપરાડા જેઓની ધરપકડ કરવામાં આવી અને એમની પૂછપરછ કરતા આરોપીઓએ દાદરાથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીઓ પાસેથી દાદરામાંથી ત્રણ ટન પેપરબોર્ડ અને જીઆઈડીસી વાપીમાંથી 11.63 ટન પેપર બોર્ડ અને ઉપયોગમાં લેવાયેલ વાહનો પણ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી: મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું રેસ્‍કયું

vartmanpravah

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

દાનહ કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી એચ.એમ.ચાવડાનો વિદાયમાન સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment