Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં યુજી અને પીજી છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો શુભારંભ લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ આ દિવસને વિશેષ બનાવવા માટે પોતાની યાદોના કાર્યક્રમના માધ્‍યમથી શિક્ષકો ઉપસ્‍થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ સમક્ષ વિવિધ કાર્યક્રમો પ્રસ્‍તૃત કર્યા હતા. કોલેજના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને શુભઆશિષ આપતા જણાવ્‍યું કે, આપ દરેકની જિંદગીમાં કેટલીક કઠિન પરીક્ષાની ઘડી આવશે, કેટલાક પડકારો પણ આવશે, સારી વિચારધારા અને માનસિક સંતુલન બનાવી રાખી એનો સામનો કરવો જોઈએ. આપ દરેક હંમેશા સત્‍યને સાથે લઈને ચાલશો અને દરેક પ્રત્‍યે દયાભાવના રાખશો, માતાપિતાઅને ગુરુજનો પ્રત્‍યે આદરભાવ અને દેશના પ્રત્‍યે સન્‍માન ભાવ રાખવો. આપની ડિગ્રીને ચરિતાર્થ કરવા માટે આપે પોતાના જીવનમાં, વ્‍યવહારમાં, વાણી અને વર્તનમાં એને ઉતારવું પડશે. આદર્શ સમાજની સ્‍થાપનામાં શૈક્ષણિક યોગ્‍યતાને વ્‍યવહારિક જીવનમા ચરિતાર્થ કરવુ અતિ આવશ્‍યક છે.એમના વિચારમાં જ્ઞાન સામાજીક વિકાસમાં પોતાનું યોગદાન નહિ આપશો ત્‍યાં સુધી જ્ઞાનનું મહત્‍વ અધૂરૂં છે. આ અવસરે કોલેજના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વાઈસ ચેરમેન શ્રી એ.ડી.નિકમ, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિહ રાઠોડ, શ્રી હીરાભાઈ પટેલ, કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.સીમા પિલ્લાઈ, લાયન્‍સ સ્‍કૂલના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ નિરાલી પારેખ, હવેલી ઈન્‍સ્‍ટિટયૂટના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ નિશા પારેખ સહિત કોલેજના શિક્ષક, સ્‍ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment