Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, 0૮: વલસાડ જિલ્લાની જાહેર જનતા જોગ જણાવવાનું કે, વલસાડથી ગુંદલાવ થઈ ખેરગામ તરફ જતા SH-૬૭ ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. ૮૫૯ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની સ્થાપના માટે ગુંદલાવ-ખેરગામ રોડને થોડા સમય માટે બંધ કરવો જરૂરી જણાય છે. ઉપરોક્ત હકીક્ત ધ્યાને લઈ જાહેર જનતાને વિનંની કરવામાં આવે છે કે, ગુંદલાવ – ખેરગામ રોડને બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે તા.૯-૫-૨૦૨૩ થી તા.૧૧-૦૫-૨૦૨૩ સુધી રાત્રીના ૨૨-૩૦ કલાકથી વહેલી સવારના ૪-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બન્ને બાજુથી બંધ રાખવામાં આવનાર છે. જેથી ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ વાહનો આવન-જાવન કરી શકશે નહી. આ રૂટ પરથી પસાર થતા વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે આ મુજબ છે. ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામ થી ગુંદલાવ જતા ફક્ત નાના વાહનો ગોરવાડા ત્રણ રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયત થઈ પાલણ ફાટક થઈ ખેરગામ રોડ તરફ અવર-જવર કરી શકશે. જેની સર્વે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment