July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા


સવારે 7 વાગ્‍યાના આજુબાજુ હત્‍યારાઓએ સ્‍કોર્પિયોમાં બેઠેલા શૈલેષ પટેલની ગોળી મારીને કરેલી હત્‍યા

મૃતકના પરિવારજનોએ કોચરવાના સદિયો ઉર્ફે શરદ પટેલ, મિતેશ પટેલ વગેરેના આરોપી તરીકે આપેલા નામો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.08: વાપી તાલુકા ભાજપ સંગઠનમાં ઉપ પ્રમુખ તરીકે હોદ્દે સંભાળતા કોચરવા ગામના વતની શૈલેષ પટેલ સોમવારે 7 વાગ્‍યાના સુમારે રાતા શિવ મંદિરે પત્‍ની સાથે દર્શન કરવા આવ્‍યા હતા તે દરમિયાન બાઈક ઉપર આવેલા ચાર ઈસમોએ સ્‍કોર્પિયોમાં સ્‍ટેયરીંગ ઉપર બેઠેલા શૈલેષ પટેલનું ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરી સરાજાહેરમાં હત્‍યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી તાલુકા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ શૈલેષ પટેલ આજે સોમવારે તેમની પત્‍ની સાથે સવારે 7 વાગ્‍યાના સુમારે રાતા શિવ મંદિરમાં દર્શન કરવા આવ્‍યા હતા. તેઓ સ્‍કોર્પિયોમાં ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા હતા ત્‍યારે બે બાઈક ઉપર આવેલા ચાર જેટલા ઈસમોએ અંધાધૂંધ ફાયરીંગ કરીને શૈલેષ પટેલને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ત્રણ જેટલી ગોળી શૈલેષ પટેલને વાગી હતી. ઘટનાના અવાજથી પત્‍ની પરિવાર મંદિરમાં બહાર આવી બુમાબુમ કરી મુકી હતી. તાત્‍કાલિક લોહીમાં લથપથ શૈલેષ પટેલને વાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયા હતા. ઘટના બાદ ભાજપના કાર્યકરો સાંત્‍વના આપવા દોડી આવ્‍યા હતા. પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈને નાકાબંધી કરી તપાસ ચાલુ કરી હતી. પરિવારજનોએ માંગ કરી હતી કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ મળવાઆવશે બાદમાં જ મૃતદેહને લઈ જવાશે. સન 2013ની જુની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લાના કસ્‍બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂા.110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્‍યુલેટર ડેમ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

Leave a Comment