April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

આદિવાસી વિકાસ સંગઠનનો ડેલકર પરિવારની ખાનગી મિલકત તરીકે થઈ રહ્યો હતો ઉપયોગઃ આદિવાસી ભવનની બિન આદિવાસીને ભાડે આપેલ ઓફિસો, દુકાનો તથા અભિનવ ડેલકરની સિવિલ પ્રોટેક્‍શન ફોર્સ દ્વારા કબ્‍જોજમાવેલ એક આખા માળને ખાલી કરી આદિવાસી યુવક-યુવતિઓને સુપ્રત કરવા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયાએ કરેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા સંઘપ્રદેશ પ્રશાસને લીધેલા નિર્ણયનું કોંગ્રેસ નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ સ્‍વાગત કર્યું છે અને તેમણે જાગૃત શિક્ષિત અને સમાજ સમર્પિત યુવાનોની નવી સમિતિ બનાવી તેમને સંગઠનનો કાર્યભાર સોંપવા પણ સૂચન કર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદાર નગર હવેલી કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ ખેદ સાથે જણાવ્‍યું છે કે, સંગઠનની સ્‍થાપનાના પાંચ-છ વર્ષ બાદ આદિવાસી વિકાસ સંગઠન ડેલકર પરિવારની વ્‍યક્‍તિગત પ્રોપર્ટી તરીકે તેનો ઉપયોગ શરૂ થયો હતો. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, 1988માં આદિવાસી કલ્‍યાણના ઉદ્દેશોથી શ્રી જુગલભાઈ પટેલ, શ્રી ઠાકોરભાઈ કાકડભાઈ નિકુળિયા, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી માધુભાઈ પટેલ, શ્રી વસંતભાઈ વાઘરોડિયા, શ્રી દિલીપભાઈ પટેલ જેવા શિક્ષિત યુવાનો સાથે આદિવાસી વિકાસ સંગઠનનો પાયો નાંખવામાં આવ્‍યો હતો અને તેના પ્રમુખની જવાબદારી તે સમયે શ્રી મોહનભાઈ ડેલકરને આપવામાં આવી હતી. તે સમયે તમામ આદિવાસી શિક્ષિત યુવાનોએ આદિવાસી ભવન બનાવવા માટે પ્રશાસનસમક્ષ રજૂઆત કરી જમીન મેળવી હતી. આ જમીન ઉપર સરકાર અને પ્રશાસનના સહયોગ વગર સમાજની જન ભાગીદારીથી આદિવાસી ભવનનું નિર્માણ કરાયું હતું. જેનો હેતુ આદિવાસી સમાજનું ઉત્‍થાન અને આદિવાસી સંસ્‍કૃતિ અને હક અધિકાર બચાવવાનો તથા માંદોની, સિંદોની, દૂધની, કૌંચા જેવા ઊંડાણના વિસ્‍તારથી આવતા આદિવાસી ભાઈ-બહેનો માટે રહેવાનું એક આશ્રય સ્‍થાન બનાવવાનું હતું. પરંતુ જે હેતુથી આદિવાસી વિકાસ સંગઠનની રચના થઈ હતી તેનાથી વિપરીત દરેક નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના વ્‍યક્‍તિગત ફાયદા માટે આ ભવનનો ઉપયોગ ડેલકર પરિવાર દ્વારા કરાતો આવ્‍યો હોવાનો આરોપ પણ લગાવ્‍યો છે.
દાનહના કોંગ્રેસી નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ વધુમાં જણાવ્‍યું છે કે, આદિવાસી ભવનમાં જેટલી પણ ઓફિસો અને દુકાનો બિન આદિવાસી લોકોને ભાડે આપેલ અને અભિનવ ડેલકરની સીપીએફ સિક્‍યુરીટી(સિવિલ પ્રોટેક્‍શન ફોર્સ) દ્વારા લેવામાં આવેલ પૂરો એક માળ તાત્‍કાલિક ખાલી કરાવી આદિવાસી ભવનમાં બનેલ તમામ ઓફિસ અને દુકાનો ફક્‍ત આદિવાસીને જ આપવાની માંગણી પણ કરી છે.
શ્રી પ્રભુભાઈ ટોકિયાએ જણાવ્‍યું છે કે, દાદરા નગર હવેલીમાં આદિવાસી સમુદાયના સાત સમાજ છે. આદિવાસી વિકાસ સંગઠનની બનનારી કમીટિમાં તમામે તમામ સાત સમાજને યોગ્‍યપ્રતિનિધિત્‍વ મળવું જોઈએ અને સંગઠનના પદાધિકારીઓ બિન રાજકીય હોવા જોઈએ એવો મત પણ વ્‍યક્‍ત કર્યો છે.

Related posts

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment