July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે

આટિયાવાડ પોલીસ આઉટ પોસ્‍ટના કર્તાહર્તાઓએ ગત તા.2 એપ્રિલના રોજ થયેલી એક ફરિયાદમાં અપનાવેલા ટાઢા વલણથી આરોપીઓને વધુ ગુનો કરવા મળેલી તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થયેલી કરપીણ હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે. કારણ કે, શૈલેષ પટેલની હત્‍યા માટે દોષિત ઠેરવવામાં આવી રહેલા સદીયો ઉર્ફે શરદ પટેલ, મિતેશ પટેલ વગેરે સામે ગત તા.2 એપ્રિલના રોજ ગંભીર ગુનો પણ નોંધાયો હતો. પરંતુ આટિયાવાડ આઉટ પોસ્‍ટના કર્તાહર્તાઓએ આરોપીઓને છટકવાની સુવિધા કરી આપી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જ્‍યારે પોલીસ ચોકીના કર્તાહર્તાઓ ફરિયાદીને જ આરોપી ઠસાવવાની પણ પેરવી કરી રહ્યા હતા.
નાની દમણ પોલીસ સ્‍ટેશનની એફઆઈઆર અંતર્ગત આરોપીઓ સામે આઈપીસીની 307, 143, 149, 352, 34 કલમો અંતર્ગત ગુનો નોંધ્‍યો હતો. જ્‍યારે પોલીસે જપ્ત કરેલી ગાડી છોડાવવા માટે આરોપી પૈકી એકનીહાજરી પોલીસ ચોકીમાં જોવા મળતી હતી. તે સમયે આરોપીઓ સામે સખ્‍તાઈ વાપરવામાં આવી હોત તો, આ કમનસીબ હત્‍યાની ઘટના ટળી શકી હોત. ફરિયાદી કિરીટ જગદીશભાઈ પરમારે આરોપી તરીકે (1) મિતેશ ઈશ્વરભાઈ પટેલ, (2) ઉમેશ, (3) મિલન, (4) ફુલવા અને (પ) અજાણ્‍યા 3 વ્‍યક્‍તિઓ સામે ફરિયાદ કરી હતી.
આજે વાપીના રાતા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ નજીક બનેલ ઘટનામાં મૃતકના પરિવારોએ આરોપી તરીકે મિતેશ ઈશ્વરભાઈ પટેલ, સદિયો ઉર્ફે શરદ પટેલ વગેરેના નામો જણાવ્‍યા છે. ત્‍યારે દમણ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હોત તો આ કમનસીબ ઘટના ટળી શકી હોત એવું આંકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment