Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

કથા મંડપમાં દિવંગત પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલ અને પટેલ સમાજના અગ્રણી મોહનભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍નીની તસવીર જોઈ દમણ-દીવ સાંસદ લાલુભાઈ પટેલની અશ્રુભીની બનેલી આંખો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજથીજરીરીમાતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે. જેમાં દેવુભાઈ જોષીની ઉપસ્‍થિતિમાં દર્શનભાઈ જોશી ભાવિકભક્‍તોને કથાનું રસપાન કરાવશે.
આજે પૂર્વ કાઉન્‍સિલર જયંતિભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં મહિલાઓ જોડાઈ હતી. કાઉન્‍સિલર અનીતા બેન પટેલે પોતાના માથા પર પોથી રાખી હતી અને ભક્‍તો સાથે પોથી કથામાં મંદિર સુધી પહોંચાડી હતી. જ્‍યાં વ્‍યાસપીઠ પરથી કથાની શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પણ કથા સ્‍થળે પહોંચ્‍યા હતા. જ્‍યાં તેમણે વ્‍યાસપીઠ ઉપર બિરાજમાન શ્રી દર્શનભાઈ જોશીનું સ્‍વાગત કર્યુ હતું અને શ્રી જયંતિભાઈ પટેલ સહિત તેમની સંપૂર્ણ ટીમને કથાના આયોજન માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે પિતૃઓના મોક્ષ માટે મુકવામાં આવેલી તસવીરોને નમન કર્યા હતા, ત્‍યાં મુકવામાં આવેલ સ્‍વ. પૂર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ અને પટેલ સમાજના અગ્રણી શ્રી મોહનભાઈ પટેલ અને તેમની ધર્મ પત્‍નીની તસવીર જોઈ સાંસદ શ્રી લાલુભાઈ પટેલની આંખો અશ્રુભીની બની હતી. તેમણે આ કથાથી દમણ-દીવમાં રહેનારા તમામને સુખ, શાંતિ પ્રાપ્ત થાય તેવી કામના સાથે સર્વે પિતૃઓને મુક્‍તિ માટે પ્રાર્થના કરી હતી
આકથા 16મે સુધી દરરોજ બપોરે 3 થી 6 વાગ્‍યા સુધી ચાલશે. દમણની જનતાને બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કથાનો આનંદ માણવા શ્રી જયંતિભાઈએ અપીલ કરી છે.

Related posts

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 16મી ફેબ્રુઆરીના શુક્રવારે સેલવાસ ખાતે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ સમારંભનું આયોજન

vartmanpravah

Leave a Comment