July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

  • સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવામાં અને ગુનાઓ ડીટેક્ટ કરવામાં સફળતા મળી

  • લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા અટકાવવા સીસીટીવી કેમેરા ખુબ જ ઉપયોગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લો તથા કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે કેમિકલ્સ, ગારમેન્ટ, પ્લાસ્ટીક, ફાર્માસ્યુટીકલ, પેપર અને જંતુનાશક દવા વિગેરેનું ઉત્પાદન કરતા નાના-મોટા ઔધોગિક એકમો આવેલા છે તેની સાથે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. જેના કારણે વલસાડ જિલ્લામાં પરપ્રાંતીય લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.
ભુતકાળમાં વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા બનેલા મિલકત અને શરીર સબંધી ગુનાઓમાં રાજય બહારની ગેંગ અને ગુનેગારોની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના મિલકત સંબંધી અને શરીર સબંધી ગુનાની તપાસ દરમ્યાન સ્થાનિક પોલીસ, લોકલ કાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તથા અન્ય શાખા/સ્કવોડ દ્વારા વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગ, રેલ્વે વિભાગ, જુદા-જુદા સરકારી વિભાગ, ખાનગી વ્યકિત કે સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજનો અભ્યાસ કરી ગુનામાં સંડોવાયેલ વ્યકિતના ફોટોગ્રાફ્સ અને ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહનના પ્રકાર અને વાહનના નંબર, ગુનાની મોડસ ઓપરેન્ડીના આધારે જુદી-જુદી ગેંગ કે ગુનેગારની ઓળખ કરી ગુનાઓ ડીટેકટ કરવામાં આવ્યા છે. આમ સી.સી.ટી.વી. કેમેરા ગુનાની તપાસ તથા ગુના શોધવા ખુબ જ ઉપયોગી છે.
સી.સી.ટી.વી. કેમેરા ટ્રાફીક નિયમન અને રોડ અકસ્માત સબંધી ગુનાઓ શોધવામાં ખુબ જ મદદરૂપ થાય છે. રહેણાંક વિસ્તાર, સોસાયટી, બિલ્ડીંગ, શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થા વિગેરેમાં સિનિયર સિટીઝન, મહિલા, બાળકો અને વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષા માટે સી.સી.ટી.વી. ખુબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. જુદી-જુદી બેન્કો, નાણાંકીય સંસ્થા, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ફુડ ઝોન, કોમર્શિયલ બિલ્ડીંગ, શોપિંગ મોલ, શૈક્ષણિક સંસ્થાઓ, જવેલરી શોપ, શો-રૂમ, પાર્કિંગ પ્લોટ, પાર્ટી પ્લોટ, લગ્ન હોલ, ખાનગી મનોરંજનના સ્થળ વિગેરે સી.સી.ટી.વી. કેમેરા દ્વારા લોકોના માલ મિલકત ઉપર દેખરેખ રાખી નુકશાન થતુ અટકાવી શકાય તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર વોચ રાખી શકાય છે. આમ, વલસાડ જિલ્લામાં લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનાઓ શોધવા માટે સી.સી.ટી.વી. કેમેરા ખુબ જ ઉપયોગી છે. જેથી નીચે જણાવેલી જગ્યા ઉપર જરૂરીયાત મુજબ એન્ટ્રી, એકઝીટ, આવવા જવાના રસ્તા, પાર્કિંગ, મકાન/બિલ્ડીંગના આગળ-પાછળ અને બંને સાઇડ તરફ મુખ્ય રોડ રસ્તા કવર કરે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લામાં બનતા મિલકત અને શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને મદદરૂપ થાય તે હેતુ માટે તેમજ જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા સારૂ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની ક્લમ-૧૪૪થી મળેલી સત્તાની રૂએ ઉપરોક્ત જણાવેલા પ્રિમાઈસીસ સ્થળે સી.સી.ટી.વી. કેમેરા (વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ કાર્યરત કરવા હુકમ કર્યો છે.

Related posts

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment