July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

પ્રદેશના આર.ટી.ઓ. તરીકે આગવી કામગીરી બજાવનાર કે.ટી.પરમાર હવે પોતાની ઉદ્યોગપતિ તરીકેની નવી ઈનિંગમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ ફેડરેશનના મહામંત્રી તરીકે પણ પ્રદેશને એક નવી ઓળખ આપશે એવીબળવત્તર બનેલી આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન-સેલવાસના વર્ષ 2023-24ના પદાધિકારીઓની નિમણૂકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન એ સેલવાસમાં કાર્યરત ત્રણ ઔદ્યોગિક સંગઠનોનું સંયુક્‍ત ઉપક્રમ છે. પરંપરા અનુસાર અધ્‍યક્ષ પદ સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ મેન્‍યુફેક્‍ચર્સ એસોસિએશનને આપવામાં આવનાર હતું. આ એસોસિએશન તરફથી અધ્‍યક્ષ પદ માટે શ્રી અતુલ શાહની નિમણૂક કરવામાં આવી હતી. જ્‍યારે ફેડરેશનના ઉપ પ્રમુખ તરીકે રાજન અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી. સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પાસે મહાસચિવનું પદ હતું જેના સ્‍થાને શ્રી કે. ટી. પરમારની નિમણુક કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, પ્રદેશના આર.ટી.ઓ. તરીકે આગવી કામગીરી બજાવનાર શ્રી કે.ટી.પરમાર હવે પોતાની ઉદ્યોગપતિ તરીકેની નવી ઈનિંગમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ ફેડરેશનના મહામંત્રી તરીકે પણ પ્રદેશને એક નવી ઓળખ આપશે એવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે.
ફેડરેશનના નિવૃત અધ્‍યક્ષ શ્રી સંજીવ કપુરે નવી ટીમને શુભકામના આપતા જણાવ્‍યું હતું કે, આ ટીમ એક ઉત્‍સાહી અને ઉર્જાવાન ટીમ છે, જેઓ દાદરા નગર હવેલીના ઉદ્યોગોની સમસ્‍યાથી પરિચિત છે અને નિヘતિ રૂપે પ્રશાસન અને ઉદ્યોગોવચ્‍ચે એક મજબૂત સેતૂ તરીકે કામ કરશે.

Related posts

દાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પાવર લિફટીંગ સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment