March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

પ્રદેશના આર.ટી.ઓ. તરીકે આગવી કામગીરી બજાવનાર કે.ટી.પરમાર હવે પોતાની ઉદ્યોગપતિ તરીકેની નવી ઈનિંગમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ ફેડરેશનના મહામંત્રી તરીકે પણ પ્રદેશને એક નવી ઓળખ આપશે એવીબળવત્તર બનેલી આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન-સેલવાસના વર્ષ 2023-24ના પદાધિકારીઓની નિમણૂકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન એ સેલવાસમાં કાર્યરત ત્રણ ઔદ્યોગિક સંગઠનોનું સંયુક્‍ત ઉપક્રમ છે. પરંપરા અનુસાર અધ્‍યક્ષ પદ સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ મેન્‍યુફેક્‍ચર્સ એસોસિએશનને આપવામાં આવનાર હતું. આ એસોસિએશન તરફથી અધ્‍યક્ષ પદ માટે શ્રી અતુલ શાહની નિમણૂક કરવામાં આવી હતી. જ્‍યારે ફેડરેશનના ઉપ પ્રમુખ તરીકે રાજન અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી. સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પાસે મહાસચિવનું પદ હતું જેના સ્‍થાને શ્રી કે. ટી. પરમારની નિમણુક કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, પ્રદેશના આર.ટી.ઓ. તરીકે આગવી કામગીરી બજાવનાર શ્રી કે.ટી.પરમાર હવે પોતાની ઉદ્યોગપતિ તરીકેની નવી ઈનિંગમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ ફેડરેશનના મહામંત્રી તરીકે પણ પ્રદેશને એક નવી ઓળખ આપશે એવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે.
ફેડરેશનના નિવૃત અધ્‍યક્ષ શ્રી સંજીવ કપુરે નવી ટીમને શુભકામના આપતા જણાવ્‍યું હતું કે, આ ટીમ એક ઉત્‍સાહી અને ઉર્જાવાન ટીમ છે, જેઓ દાદરા નગર હવેલીના ઉદ્યોગોની સમસ્‍યાથી પરિચિત છે અને નિヘતિ રૂપે પ્રશાસન અને ઉદ્યોગોવચ્‍ચે એક મજબૂત સેતૂ તરીકે કામ કરશે.

Related posts

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

બામણવેલની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનું તાલુકા પંચાયતના સભ્‍યને ભારે પડયું

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

Leave a Comment