December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

જન મંચ કાર્યક્રમ દ્વારા લોકોનાપ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડીશું : વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા

ક્‍વોરીના કારણે રાહદારીઓને થતું નુકસાન, ખૂંધ ખાતે થયેલ કોળી સમાજના આશાસ્‍પદ યુવાનની હત્‍યા, વાસ્‍મોની નબળી કામગીરીનાં કારણે ઘરે ઘરે નળમાં પાણી નથી આવતું જેવા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં રજૂઆત કરીશું : વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.14: નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ જનતાના પ્રશ્નોને જનમંચથી વિધાન સભા સુધી પહોંચાડવા અને લોકોની વેદનાને વાચા આપવા માટે જનમંચના કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિત કાર્યકરો ખુડવેલ ખાતે જનમંચના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.
નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીખલી તાલુકાના ખુડવેલ ગામે જનમંચનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં ચીખલી-વાંસદા અને ખેરગામના આગેવાનો સાથે લોક પ્રતિનિધિઓ પોતાના પ્રશ્નો સાથે જનમંચમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે જનમંચ એટલે જનતાના પ્રશ્નો માટેનો મંચ જ્‍યાં કોઈપણ સામાન્‍ય વ્‍યક્‍તિ પોતાનાપ્રશ્નો ઉપસ્‍થિત કરી શકશે. જે પ્રશ્નો આવનાર વિધાનસભા સુધી અમો પહોંચાડીશું. ચીખલી ખાતે રોડ પર આવેલો ક્‍વોરીને કારણે રાહદારીઓને થતું નુકશાન, ખૂંધ ખાતે થયેલ કોળી સમાજના આશાસ્‍પદ યુવાનની હત્‍યા, વાસ્‍મોની નબળી કામગીરીના કારણે ઘરે ઘરે નળમાં પાણી નથી આવતું જેવા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં રજૂઆત કરીશું અને લોક પ્રશ્નો માટે આંદોલનો પણ કરીશું એમ જણાવ્‍યું હતં.
જ્‍યારે વાંસદા ચીખલીના ધારાસભ્‍ય અનંત પટેલે જણાવ્‍યું હતું કે નવસારી જિલ્લામાં નરેગાના કામો છેલ્લા 9-મહિનાથી થતા નથી. સરપંચોને 5-લાખના કામોની જોગવાઈ હોવા છતાં તાલુકા પંચાયત દ્વારા અન્‍યાય કરી મંડળીઓને કામો ફાળવવામાં આવે છે. કોળી સમાજના યુવાનની કોલેજ પાસે હત્‍યા કરી દેવામાં આવે છે. આવા પ્રશ્નો માટે આંદોલનો કે ધરણા પ્રદર્શનો કરવા પડશે. આ જનમંચ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, મગનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, નિકુંજભાઈ, વલ્લભભાઈ, શશીનભાઈ, મહિલા પ્રમુખ અર્ચનાબેન, ભારતીબેન, મંજુલાબેન તેમજ માજી ધારાસભ્‍ય આનંદ ચૌધરી, પુનાજીભાઈ, ઈલ્‍યાસભાઈ, ધર્મેશભાઈ, દિપક બારોટ, નીરવ નાયક સહિતનાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ગુંજન ઉપાસના સ્‍કૂલમાં ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં 5 લાખની ખંડણી માંગનાર કથિત બે મહિલા પત્રકારોની આગોતરા જામીન નામંજૂર

vartmanpravah

ચીખલીમાં તાલુકાસેવા સદન કેમ્‍પસમાં વોક-વેના પેવર બ્‍લોક બેસી ગયા!

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં દાદરા નગર હવેલીના ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment