Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.16: વાંકલ ગામના રહેવાસી અને ધરમપુર તાલુકાની નવીનગરી પ્રાથમિક શાળા માલનપાડાના આચાર્ય મહેન્દ્રસિંહ નાથુભાઈ પરમારને તારીખ ૧૩ મે, ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યસ્તરીય ભૂષણ પુરસ્કાર સન્માન કાર્યક્રમમાં જ્ઞાન ભૂષણ એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર શિક્ષણ, ઉદ્યોગ, સમાજસેવા, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય સ્તરે નોંધપાત્ર એવા દેખાવ અને કાર્ય માટે ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. મહેન્દ્રસિંહ પરમારને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સ્તરીય એવોર્ડથી અગાઉ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ્ઞાન ભૂષણ પુરસ્કાર તેમને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી રવિકુમાર નારાના હસ્તે એનાયત કરાયો હતો.

Related posts

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

vartmanpravah

કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના મળતક પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની કરાયેલી માંગ

vartmanpravah

Leave a Comment