Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં દિવસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
દીવના વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા દિવસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબના પ્રેસિડેન્‍ટ અને સાથે દરેક સભ્‍યોના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમનો આજે પ્રારંભ કરવામાં આવ્‍યો તેમાં ઉપસ્‍થિત મહેમાનો ડૉ.જીતેન્‍દ્ર સોલંકી આ ટુર્નામેન્‍ટના પ્રારંભ કાર્યક્રમમાં હાજર રહ્યાહતા.
આ ટુર્નામેન્‍ટમાં કુલ 46 ટીમોએ ભાગ લીધો છે જેમાં કોડીનાર, ઘોઘલા, દીવ, અને વણાંકબારાની આજુબાજુની ટીમો સામેલ છે. આજરોજ પ્રારંભના પ્રથમ મેચમાં કલ્‍યાણ ઈલેવન વણાંકબારા અને બ્‍લેક પેનથર વણાંકબારા વચ્‍ચે રમાડવામાં આવ્‍યો હતો. જેમનો મહાનુભાવો દ્વારા ટોસ કરી મેચનો પ્રારંભ કર્યો હતો.
આ ટુર્નામેન્‍ટને સ્‍પોન્‍સર કરતા દરેક સ્‍પોન્‍સરનો શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા આભાર માનવામાં આવ્‍યો છે. આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે વીએનકે સ્‍પોર્ટસ ક્‍લબના દરેક સભ્‍યોનો મહત્‍વનો સહયોગ રહ્યો છે. અને સાથે સાથે વણાંકબારા પંચાયતના સહયોગથી વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડને સુંદર બનાવવામાં માટે સાથ સહકાર રહ્યો છે.

Related posts

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસ બિન્‍દ્રાબિન જવા શિવ જળાભિષેક સાથે ભવ્‍ય કાવડયાત્રા નિકળી

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

Leave a Comment