September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)
દમણ, તા.17: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ સચિવ શ્રી ટી.અરૂણ કુમાર અને શિક્ષકણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ 9મી મે, 2023 થી 17મી મે 2023 દરમિયાન ઝરી આશ્રમ શાળા ખાતે 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પપ થી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, 9 મે થી 17 મે દરમિયાન આયોજિત આ 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પના સમાપન સમારોહમાં એડીઈ શ્રી રાજેશ હળપતિ, ડીપીઓ શ્રીમતી સ્‍મિતા થોમસ, શ્રી યોગેશ મોડાસિયા, શ્વેતલ પટેલ અનેએમઆઈએસ કો-ઓર્ડિનેટર અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમર કેમ્‍પમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષામાં તેમની મૂળભૂત બાબતો પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. વૈજ્ઞાનિક વિચાર, માનવતાવાદ અને પુછપરછની ભાવના કેળવી અને બાળકોને ઉચ્‍ચ અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા સાથે વાર્તાલાપ, સ્‍પર્ધા માટેનું પ્‍લેટફોર્મ અને રમત-ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓમાં બાળકોની સક્રિય ભાગીદારીને પ્રોત્‍સાહિત કરવા માટેનું પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવ્‍યું હતું.
એડીઈ શ્રી રાજેશ હળપતિએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓને નિવાસી સમર કેમ્‍પમાં સક્રિયપણે ભાગ લેવા માર્ગદર્શન અપાયું હતું. શ્વેતલ પટેલ, એમઆઈએસ કો-ઓર્ડિનેટરએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને 10 દિવસીય સમર કેમ્‍પના સફળ આયોજન બદલ તમામ બાળકો અને શિક્ષકોનો આભાર માન્‍યો હતો. આ કાર્યક્રમના સમાપન પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

vartmanpravah

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

Leave a Comment