Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત તેમજ સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ગુજરાત દ્વારા વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ ફિલ્‍મ મુવી ટ્રીપ યોજાઈ

ચલા સીને પાર્કમાં ધ કેરાલા સ્‍ટોરી ફિલ્‍મ નિઃશુલ્‍ક બતાવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સેલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રાજેશ કુમાર ઝા ની પ્રેરણાથી, સેલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રીય અને પ્રાદેશિક કમિટીના સંરક્ષક પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, સેલ્‍યુટ તિરંગા, ગુજરાત પ્રદેશ અધયક્ષ શ્રી ઉત્તમભાઈ પટેલ, સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો)ના અધ્‍યક્ષ ડૉ.શૈલેશ વી. લુહાર , (રાષ્‍ટ્રીય સલાહકાર) પરમપુજ્‍ય રામ સ્‍વામીજી, પરમપુજ્‍ય હરી સ્‍વામીજી તેમજ સેલ્‍યુટ તિરંગા (કોષ અધ્‍યક્ષ) ડૉ.સચિન બી. નારખેડે, ના સહયોગથી આશરે 150 જેટલી વિદ્યાર્થીનીઓને ચલામાં આવેલ સીનેપાર્કમાં ‘‘ધ કેરેલા સ્‍ટોરી” ફિલ્‍મ ફ્રીમાં બતાવવામાં આવી હતી. સેલ્‍યુટ તિરંગા, ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી ઉત્તમભાઈ પટેલે વિદ્યાર્થીનીઓને જાગૃતતા કેળવવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. સંસ્‍થાના પરમપુજ્‍ય રામ સ્‍વામીજી દ્વારા વિદ્યાર્થીનીઓને દેશમાંરાષ્‍ટ્રવાદ, ધર્મ પ્રત્‍યે પ્રેમ, તેમજ આતંકવાદી ગતિવિધિ નાબુદ કરવા માટેનું માર્ગદર્શન આપ્‍યું હતું. તથા સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ના અધ્‍યક્ષ ડૉ.શૈલેશ વી. લુહારે વિદ્યાર્થીનીઓને માતા પિતાના સંસ્‍કારો સાથે રહેવાનું તથા સોસિઅલ મીડિયાના ડાયવર્ઝન વિશે માહિતગાર કાર્ય હતા.
ડૉ.સચિન બી. નારખેડે દ્વારા જણાવાયુ હતું કે, અત્‍યારના સમયમાં દીકરીઓને જાગૃત કરવી અને સાચી રાહ બતાવવીએ ખુબજ જરૂરી છે, આ કોલેજના એસોસિયેટ પ્રોફેસર શેતલ બી. દેસાઈએ જણાવ્‍યું હતું કે, આ મૂવી બતાવાવનો મુખ્‍ય હેતુ એ છે કે, આપણી યુવા પેઢીની દીકરીઓને જે રીતે અંધારામાં રાખી ખોટા માર્ગ તરફ દોરવામાં આવી રહી છે તે પ્રત્‍યે જાગૃતતા લાવવી જરૂરી છે. કોલેજની વિદ્યાર્થીની ભક્‍તિ પટેલએ જણાવ્‍યું હું કે, આ મૂવીમાંથી અમને માતા-પિતા જે માર્ગદર્શન આપે એ આપણા હિતમાં જ હોય છે તેમજ આપણા ધર્મ પ્રત્‍યે પ્રેમ, સાચું ખોટું માં ફર્ક જેવી બાબતો શીખવા મળી હતી.
આ આયોજનમાં કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ.નેહા જી. દેસાઈ, એસોસિયેટ પ્રોફેસર ભૂમી એસ. પટેલ આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શિવાની જે. ગાંધી, ખુશ્‍બુ બી. પટેલએ મહત્‍વની કામગીરી બજાવી હતી. આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍યપૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે, તમામ સ્‍ટાફે સેલ્‍યુટ તિરંગા ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરેલી જાહેરાત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment