August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસનું વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડનમાં નામ દાખલ થયું: સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશના પોલીસ વિભાગમાં કોમ્‍પ્‍યુટર સાક્ષરતા ક્ષેત્રે આપેલા ખાસ જોરનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સમાં દાદરા નગર હવેલી પોલીસનું નામ દાખલ થતાં સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશના પોલીસ વિભાગમાં કોમ્‍પ્‍યુટર સાક્ષરતા અંગે ખાસ જોર આપ્‍યું હતું. જેના પરિણામે પોલીસ વિભાગે નિયમિત રીતે પોલીસ વિભાગના કર્મીઓને કોમ્‍પ્‍યુટરના ક્ષેત્રે તાલીમ પ્રદાન કરવાની સાથે નવા સોફટવેર અને એપ્‍લિકેશન પણ વિકસિત કર્યા છે. જેનો ઉપયોગ પોલીસ તંત્ર દ્વારા કેસની તપાસ અને સત્‍યાપન માટે કરવામાં આવી રહ્યો છે. દાનહ પોલીસ વિભાગના કોમ્‍પ્‍યુટર ક્ષેત્રે થઈ રહેલા ક્રાંતિકારીપ્રયોગોને સ્‍વીકારી વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડને દાનહ જિલ્લા પોલીસને 100 ટકા બુનિયાદી કોમ્‍પ્‍યુટર સાક્ષરતા હાંસલ કરવા બદલ પોતાના રેકોર્ડમાં સામેલ કર્યા છે.
દાનહમાં કોમ્‍પ્‍યુટર સાક્ષરતા અંતર્ગત પોલીસ કર્મીઓને એમના નિયમિત કાર્યો જેવા કે અપરાધિક કેસની તપાસ, દુર્ઘટનામાં મૃત્‍યુ સંબંધિત દરેક પ્રકારના વિવરણને સીસીટીએનએસમાં ભરવા બુનિયાદી કોમ્‍પ્‍યુટર શિક્ષણ અંગે જાગૃતતા પેદા કરવાનો ઉદ્દેશ રહ્યો છે.
સંઘપ્રદેશના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરે અને એસ.પી. શ્રી આર.પી.મીણાએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં મળેલ એવોર્ડને સુપ્રત કર્યો હતો. પ્રશાસકશ્રીએ દાનહ જિલ્લા પોલીસની આ મુદ્દે સરાહના પણ કરી હતી.

Related posts

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

વાપીમાં પોન્‍ઝી સ્‍કીમમાં રોકાણકારો ફસાયા: કરોડોનું ફુલેકુ ફેરવી સંચાલકો ફરાર થઈ ગયા

vartmanpravah

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment