September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજનાઆગેવાન રાયચંદભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

સમસ્‍ત પંથકમાં ઘેરા શોકની લાગણીઃ સ્‍મશાન યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, કાઉન્‍સિલરો સહિત રાજકીય આગેવાનો અને મોટી સંખ્‍યામાં શુભેચ્‍છકો, મિત્રો તથા ટેકેદારોની રહેલી હાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજના આગેવાન શ્રી રાયચંદભાઈ મોહનભાઈ પટેલનું આજે આકસ્‍મિક નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સ્‍વ. શ્રી રાયચંદભાઈ પટેલ દમણવાડા ગ્રામ પંચાયતના વર્તમાન ઉપ સરપંચ શ્રી મિલનભાઈ પટેલના પિતા પણ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે બપોરે 2:00 વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાન ભામટીથી નિકળેલી સ્‍મશાન યાત્રાામાં દમણ, સેલવાસ તથા વલસાડ જિલ્લાના તેમના સગાં-સંબંધીઓ તથા વિશાળ ચાહકો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, કાઉન્‍સિલરો તથા ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
સ્‍વ. રાયચંદભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બજાવેલી કામગીરીને પણ લોકો આજે યાદ કરી રહ્યા છે. તેમણે પૂર્વ સરપંચના ભ્રષ્‍ટાચારને પણ ઉજાગર કર્યા હતા.
સ્‍વ. રાયચંદભાઈપટેલ એક વેપારી હોવા ઉપરાંત દરેક જોડે મળતાવડા અને પોતાનું કાર્ય નિષ્‍ઠાપૂર્વક કરનારા હતા. તેમના આકસ્‍મિક નિધનથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. તેઓ પોતાની પાછળ પત્‍ની અને ત્રણ પુત્રોને વિલાપ કરતા છોડી ગયા છે.

Related posts

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની મહિલા સશક્‍તિકરણ અને ‘આત્‍મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ઉમદા પહેલ સેલવાસના નવનિર્મિત ભવ્‍ય કલેક્‍ટરાલયમાં ઉપહાર ગૃહ(કેન્‍ટિન)નો આરંભઃ ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલાઓ દ્વારા સંચાલન

vartmanpravah

Leave a Comment