January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજનાઆગેવાન રાયચંદભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

સમસ્‍ત પંથકમાં ઘેરા શોકની લાગણીઃ સ્‍મશાન યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, કાઉન્‍સિલરો સહિત રાજકીય આગેવાનો અને મોટી સંખ્‍યામાં શુભેચ્‍છકો, મિત્રો તથા ટેકેદારોની રહેલી હાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજના આગેવાન શ્રી રાયચંદભાઈ મોહનભાઈ પટેલનું આજે આકસ્‍મિક નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સ્‍વ. શ્રી રાયચંદભાઈ પટેલ દમણવાડા ગ્રામ પંચાયતના વર્તમાન ઉપ સરપંચ શ્રી મિલનભાઈ પટેલના પિતા પણ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે બપોરે 2:00 વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાન ભામટીથી નિકળેલી સ્‍મશાન યાત્રાામાં દમણ, સેલવાસ તથા વલસાડ જિલ્લાના તેમના સગાં-સંબંધીઓ તથા વિશાળ ચાહકો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, કાઉન્‍સિલરો તથા ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
સ્‍વ. રાયચંદભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બજાવેલી કામગીરીને પણ લોકો આજે યાદ કરી રહ્યા છે. તેમણે પૂર્વ સરપંચના ભ્રષ્‍ટાચારને પણ ઉજાગર કર્યા હતા.
સ્‍વ. રાયચંદભાઈપટેલ એક વેપારી હોવા ઉપરાંત દરેક જોડે મળતાવડા અને પોતાનું કાર્ય નિષ્‍ઠાપૂર્વક કરનારા હતા. તેમના આકસ્‍મિક નિધનથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. તેઓ પોતાની પાછળ પત્‍ની અને ત્રણ પુત્રોને વિલાપ કરતા છોડી ગયા છે.

Related posts

પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે હોન્‍ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

vartmanpravah

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

Leave a Comment