Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

શ્રી જલારામ બાપા અને શ્રી ગોગા મહારાજની પણ નવી મૂર્તિઓની કરાયેલી સ્‍થાપના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારની મૂર્તિઓની આજે ભવ્‍ય ઉત્‍સાહ ઉમંગ અને ભક્‍તિભાવથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અવસરે આમલી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી દત્ત મંદિરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ યજ્ઞ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારો શ્રીપાલશ્રી વલ્લભ, શ્રી વિજયદર્શન, શ્રી સ્‍વામી સમર્થ, શ્રી વાસુનંદ સરસ્‍વતી, શ્રી રંગ અવધૂત મહારાજ, શ્રી ગજાનન મહારાજ ઉપરાંત સંત શ્રી જલારામ બાપ્‍પા અને શ્રી ગોગા મહારાજની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ અવસરે મંદિરના ટ્રસ્‍ટીઓ, આયોજકો સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment