Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના શ્રમિકોના અધિકાર અને એમના કાર્યના પ્રતિ નિષ્‍પક્ષતા સુનિヘતિ કરવાના ઉદ્દેશથી પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લઘુત્તમ મજૂરી અધિનિયમ 1948 મુજબ દૈનિક લઘુત્તમ વેતન સાથે માત્ર રૂા.35 વિશેષ ભથ્‍થું આપવાની જાહેરાત કરી છે.
સંઘપ્રદેશના વિભિન્ન ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકોના જીવન સ્‍તરમાં સુધારો લાવી શકાય તથા એમના માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકાય તે હેતુથી આ અધિનિયમ અનુસાર પ્રત્‍યેક શ્રમિકને લઘુત્તમ મજૂરી સિવાય હવે વિશેષ ભથ્‍થાનો લાભ પ્રાપ્ત થશે. આ ભથ્‍થું મોંઘવારી, જીવન સ્‍તરની લાગત અને શ્રમિકોના કાર્યોની વિશેષ આવશ્‍યકતાને ધ્‍યાનમાં રાખી નિર્ધારિત કરવામાં આવ્‍યું હોવાનું દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર(મુખ્‍યાલય) અને પ્રાદેશિક પ્રચાર અધિકારી શ્રી પ્રિયાંશુ સિંહની એક અખબારી યાદીમાં જણાવાયું છે. આ વિશેષ ભથ્‍થું 01 એપ્રિલ 2024થી અમલમાં લાવવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. દૈનિક લઘુત્તમ મજૂરી દર સાથે 35 રૂપિયા વિશેષ ભથ્‍થાનો વધારો મળવાસાથે અકુશળ શ્રમિકોને 441 રૂપિયા મિનિમમ મજૂરી અને 35 રૂપિયા ભથ્‍થા સાથે 476 રૂપિયા મળશે, અર્ધકુશળ શ્રમિકોને 452 લઘુત્તમ મજૂરી સાથે 35 રૂપિયા વિશેષ ભથ્‍થા સાથે 487 રૂપિયા મળશે અને કુશળ શ્રમિકોને 462 લઘુત્તમ મજૂરી સાથે 35 રૂપિયા વિશેષ ભથ્‍થા સાથે 497 રૂપિયા પ્રતિદિનના હિસાબે પ્રદેશના શ્રમિકોને મળવાપાત્ર રહેશે.

Related posts

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગની મહિલાઓને 2000 ગીર ગાયોનો લાભ આપશે

vartmanpravah

કલા મહાકુંભ પ્રતિયોગીતામાં વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

Leave a Comment