April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્‍યું કે, દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની કેન્‍દ્ર સરકાર સફળતાના 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્‍યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘‘વિશેષ જનસંપર્ક અભિયાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા શ્રી સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકર, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાની સૂચનાઅને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને ‘‘પત્રકાર પરિષદ”નું આયોજન વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં હેમંતભાઈએ આગામી તારીખ 30 મે થી 30 જૂન સુધી ‘‘વિશેષ જનસંપર્ક અભિયાન” હેઠળ કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોના આયોજન અંગેની વિગતવાર માહિતીઓ આપી હતી.
દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કાર્યરત કેન્‍દ્ર સરકારના 9 વર્ષ સેવા, સુશાસન, અને ગરીબ કલ્‍યાણ તરીકે કામ કર્યું છે જેમાં પી.એમ. જનધન યોજના, પી.એમ. ઉજવલા યોજના, પી.એમ.કિસાન યોજના, પી.એમ. ગતિશક્‍તિ, અટલ પેંશન યોજના, જળ જીવન મિશન, પી.એમ. ગરીબ કલ્‍યાણ અન્ન યોજના, પી.એમ.માતૃવંદના યોજના, ઉડાન યોજના અને અનેકગણા વિકાસના કાર્યો, રાષ્‍ટ્રહિતના કાર્યો સુશાસનના નવ વર્ષની અનેક સિદ્ધિઓની માહિતીઓ આપી હતી.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ ‘‘વિષેશ જનસંપર્ક અભિયાન” હેઠળ યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્‍યું હતું કે, આગામી 30 મે થી 30 જૂન 2023 સુધી વિવિધ કાર્યક્રમો યોજનાર છે. જેમાં તારીખ 30/31 મે ના રોજ પ્રારંભ રેલી દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહાસભાથીઅભિયાનનો શુભારંભ કરવામાં આવનાર છે. તારીખ 1 થી 6 જૂન સંપર્કથી સમર્થન કાર્યક્રમ, તારીખ 1 જૂનથી 20 જૂન વિકાસ તીર્થ (લોકસભા સ્‍તરે) તારીખ 5 જૂન થી 20 જૂન લાભાર્થી સંમેલન (મંડળ સ્‍તરે), 10 જૂન થી 15 જૂન વેપારી સંમેલન (લોકસભા સ્‍તરે), 10 જૂનથી 20 જૂન પ્રબુદ્ધ સંમેલન (લોકસભા સ્‍તરે), 15 જૂનથી 20 જૂન સંયુક્‍ત મોરચા સંમેલન (વિધાનસભા સ્‍તરે), 21 જૂન વિશ્વ યોગ દિવસ (વિધાનસભા/મંડળ સ્‍તરે) 23 જૂન યશસ્‍વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી સાથે વીસી, 23 જૂન વરિષ્ઠ કાર્યકર્તાઓની સાથે ભોજન તથા વાર્તાલાપ (વિધાનસભા સ્‍તરે), 25 જૂનથી 30 જૂન ઘર ઘર સંપર્ક (બુથ સ્‍તરે), કેન્‍દ્ર, પ્રદેશની યોજના પ્રમાણે વિશાળ જનસભા (લોકસભા સ્‍તરે) કાર્યક્રમો યોજાનાર હોવાની માહિતીઓ આપી હતી.
વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને વલસાડ જિલ્લા વિશેષ જનસંપર્ક અભિયાનના ઈન્‍ચાર્જ શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અને વલસાડ જિલ્લા વિશેષ જનસંપર્ક અભિયાન સહ ઈન્‍ચાર્જ શ્રી જિતેશભાઈ પટેલ, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી શ્રી ઈલિયાસભાઈ મલેક, વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્‍વીનર દિવ્‍યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા આઈ.ટી. ઈન્‍ચાર્જ શ્રી ધ્રુવીનપટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતે જીત્‍યો કાંસ્‍ય પદક

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

Leave a Comment