February 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીમાં વાહનચાલકે ટક્કર મારતા અજાણ્‍યા યુવાનનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલીના રખોલી ખાતે અજાણ્‍યા યુવાનને વાહન ટક્કર મારતા ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. રખોલી ખાતે અજાણ્‍યા વ્‍યક્‍તિનું અકસ્‍માત થયું હોવાનું પોલીસ કંટ્રોલ રૂમ સાયલી પોલીસ સ્‍ટેશનના પીસીઆર-4ને જાણ થઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રખોલીના જલારામ મંદિરની સામે મેઈન રોડ પર રાત્રે એક વાગ્‍યાના સુમારે એક અજાણ્‍યા વ્‍યક્‍તિને અચાનક વાહને ટક્કર મારી હતી. આ અંગેની જાણ થતાં ફરજ પરનો સ્‍ટાફઘટના સ્‍થળે પહોંચી ગયો હતો અને આશરે 25 થી 30 વર્ષની વયનો અજાણ્‍યો શખ્‍સ મળી આવ્‍યો હતો. તેને કોઈ અજાણ્‍યા વાહન ચાલક દ્વારા અકસ્‍માત કર્યો હોવાનું જાણવા મળ્‍યું હતું. અકસ્‍માતનો ભોગ બનેલ યુવાન ગંભીર રીતે ઘાયલ હતો અને તેના કપડામાં ચેક કરતાં તેની પાસેથી કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર મળી આવ્‍યું નહોતું. જેથી મૃતક વ્‍યક્‍તિની ઓળખ થઈ શકી નહોતી અને હજુ સુધી તેના સગાં-સંબંધીની પણ ભાળ મળી નથી જેથી અને આ અંગે સાયલી પોલીસ સ્‍ટેશનમાં 281, 106(1), ગ્‍ફલ્‍ અને સે.134, 184, 177 મોટર વ્‍હીકલ એક્‍ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે અને વ્‍યક્‍તિની ઓળખ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મૃતકની ઉંમર આશરે 25 થી 30 વર્ષ અને રંગ ગોરો, ઊંચાઈ 5′ 6 ઇંચ છે. કાળા રંગનું ફુલ ટી-શર્ટ અને વાદળી રંગનું ફુલ પેન્‍ટ પહેર્યું છે. ઉપરોક્‍ત ઓળખાણ વાળી અજાણી વ્‍યક્‍તિનો કોઈ સંબંધી મળી આવે તો સાયલી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમ દ્વારા એક સપ્તાહમાં રૂા.2.18 લાખની રોકડ અને રૂા.39,420નો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment