April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર મુંબઈના સુપ્રસિદ્ધ બાળરોગ નિષ્‍ણાંત અને પલ્‍મોનોલોજીસ્‍ટ ડો. ઈન્‍દુ ખોસલાએઆપેલું મનનીય માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં આજે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસના સભાખંડમાં ‘‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર કન્‍ટિન્‍યુ મેડિકલ એજ્‍યુકેશન(સી.એમ.ઈ.) સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સી.એમ.ઈ. સત્રનું આયોજન નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા મેડિકલ ઓફિસરો, રેસિડેન્‍ટ્‍સ ડોક્‍ટર, ચેસ્‍ટ ફિઝિશિયન ફેકલ્‍ટીના માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઉપરોક્‍ત શ્રેણીના લગભગ 65 સહભાગીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સી.એમ.ઈ. સત્ર માટે મુંબઈના સુપ્રસિદ્ધ બાળરોગ નિષ્‍ણાંત અને પલ્‍મનોલોજીસ્‍ટ ડો. ઈન્‍દુ ખોસલાને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.
આ સી.એમ.ઈ.નો મુખ્‍ય ઉદ્દેશ ડોક્‍ટરોના કૌશલ્‍યને વધારવાનું અને દર્દીઓની ગુણવત્તાપૂર્ણ દેખભાળ અને સેવા પ્રદાન કરવા માટે તથા ડોક્‍ટર અને અધ્‍યાપકોની વચ્‍ચે ‘‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર સમજ વિકસિત કરવાનો હતો.
અત્રે નોંધનીય છે કે, નમો ઈન્‍સ્‍ટિટયૂટ ઓફમેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ તથા શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા આ પ્રકારના પ્રશિક્ષણને નિયમિત રૂપે આયોજીત કરવામાં આવે છે, જેથી દર્દીઓને ઉત્‍કૃષ્‍ટ સારવાર ઉપલબ્‍ધ કરાવી શકાય.

Related posts

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

વાપી ફોર્ટીશેડ કંપની નજીક ખુલ્લા મેદાનમાંજુગાર રમતા પાંચ જુગારિયા ઝડપાયા

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દીવમાં 61મો મુક્‍તિ દિવસ ઉજવાયો : કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે ધ્‍વજારોહણ કરાયું: દીવવાસીઓના સુખ, સમળદ્ધિ અને શાંતિ માટે કરેલી શુભકામનાઓ

vartmanpravah

Leave a Comment