Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર મુંબઈના સુપ્રસિદ્ધ બાળરોગ નિષ્‍ણાંત અને પલ્‍મોનોલોજીસ્‍ટ ડો. ઈન્‍દુ ખોસલાએઆપેલું મનનીય માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં આજે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસના સભાખંડમાં ‘‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર કન્‍ટિન્‍યુ મેડિકલ એજ્‍યુકેશન(સી.એમ.ઈ.) સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સી.એમ.ઈ. સત્રનું આયોજન નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા મેડિકલ ઓફિસરો, રેસિડેન્‍ટ્‍સ ડોક્‍ટર, ચેસ્‍ટ ફિઝિશિયન ફેકલ્‍ટીના માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઉપરોક્‍ત શ્રેણીના લગભગ 65 સહભાગીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સી.એમ.ઈ. સત્ર માટે મુંબઈના સુપ્રસિદ્ધ બાળરોગ નિષ્‍ણાંત અને પલ્‍મનોલોજીસ્‍ટ ડો. ઈન્‍દુ ખોસલાને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.
આ સી.એમ.ઈ.નો મુખ્‍ય ઉદ્દેશ ડોક્‍ટરોના કૌશલ્‍યને વધારવાનું અને દર્દીઓની ગુણવત્તાપૂર્ણ દેખભાળ અને સેવા પ્રદાન કરવા માટે તથા ડોક્‍ટર અને અધ્‍યાપકોની વચ્‍ચે ‘‘અંડરસ્‍ટેન્‍ડિંગ સ્‍પાઈરોમેટ્રી એન્‍ડ મેનેજમેન્‍ટ ઓફ પીડિયાટ્રીક અસ્‍થમા” વિષય ઉપર સમજ વિકસિત કરવાનો હતો.
અત્રે નોંધનીય છે કે, નમો ઈન્‍સ્‍ટિટયૂટ ઓફમેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ તથા શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા આ પ્રકારના પ્રશિક્ષણને નિયમિત રૂપે આયોજીત કરવામાં આવે છે, જેથી દર્દીઓને ઉત્‍કૃષ્‍ટ સારવાર ઉપલબ્‍ધ કરાવી શકાય.

Related posts

દાનહમાં ગુરૂવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

Leave a Comment