Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના નરોલી ગામે શોકીન સિંહ (ઉ.વ.48) જે ડીપી એન્‍જીનીયરીંગ સોલ્‍યુશન અંતર્ગત ભીલોસા કંપનીમાં કોન્‍ટ્રાક્‍ટમાં નોકરી કરતો હતો જે ગત અઠવાડિયે કનાડી ફાટક નજીક નશાની હાલતમાં એક ઘરમાં ઘુસી મહિલા સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારબાદ મહિલાના પરિવારના સભ્‍યોએ શોકીન સિંહ અને એમના સહકર્મી સુખવિન્‍દર સિંહ પર લાકડા અને લાઠી વડે હુમલો કર્યો હતો. જેમા શોકીન સિંહને ઈજાઓ થઈ હતી. આ મારામારી બાદ એના મિત્રોએ મહિલાના પરિવાર સાથે સમાધાનનો પ્રયાસ કર્યો હતો અને એને પંજાબ એના ઘરે મોકલાવી આપવાની વાત કરી હતી. શોકીન સિંહના મિત્રએ એને રિક્ષામાં બેસાડી રાત્રે 8:00વાગ્‍યે વાપી સ્‍ટેશન પર છોડી આવ્‍યો હતો. જ્‍યાં એની લાશને વાપી સ્‍ટેશનના સુરક્ષા ગાર્ડે જોઈ અને વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. 27મેના રોજ વાપી ટાઉન પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી આપી હતી. ત્‍યારબાદ 1 જૂનના રોજ સેલવાસ પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવ્‍યો હતો. મૃતકના સગા બલ્‍વીન્‍દર સિંહનીફરિયાદના આધારે આઇપીસી 302,323,147,148,149 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ શ્રી સોનુ સુદને સોંપવામાં આવી હતી. એસએચઓ શ્રી અનિલ ટીકે અને ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ શ્રી હરેશ રાઠોડના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં ભીખુ મ્‍હાજી સાલકર (ઉ.વ.45) રહેવાસી કુંભારવાડી,નવાકુવા,નરોલી, અશોક દિલીપ સાલકર (ઉ.વ.25) રહેવાસી કુંભારવાડી, નરોલી, પિયુષ છોટુ પટેલ (ઉ.વ.25) રહેવાસી કુંભારવાડી, નરોલી, સતિષભાઈ શુક્કરભાઈ તુમડા (ઉ.વ.34) રહેવાસી કુંભારવાડી, નરોલી, મિનેશ દશરથ પડવાડિયા (ઉ.વ.19) રહેવાસી કુવાફળિયા, નરોલી જેઓની ધરપકડ કરી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment