December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.22
કોરોના મહામારીને લઈ અનેક લોકોએ પોતાના સ્‍વજનો ગુમાવ્‍યા છે તો બીજી તરફ ધંધો-રોજગાર પણ પડી ભાંગ્‍યો છે. કોવિડ-19 થી બચવા માટે રસીકરણ પણ અપાઈ રહી છે. નોંધનીય છે કે, કોવિડ-19 ની પ્રથમ-દ્વિતિય લહેર આવી ચૂકી છે. કોરોના કેસ અને મોતના આંકડાઓમાં અનેકવિધ ભેદો આવી રહ્યા છે. સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડાઓ છૂપાવી રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાપીમાં પત્રકારપરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોરોનાથી મૃત્‍યુ પામેલા લોકોને વળતર ચૂકવવા માટે થયેલી અરજી પર સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્‍યુથી વધુ અરજી આવી છે. કોવિડ ટેસ્‍ટ કરાવ્‍યા વગર મૃત્‍યુ પામ્‍યા તેનું શું? આંકડા છૂપાવવાને કારણે હજારો નિરાધાર બનેલા લોકો કલ્‍યાણ લાભથી વંચિત રહેશે તેનું શું? વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, પત્રકાર પરિષદ કોવિડ સંદર્ભે કરવામાં આવી હતી જો કે, સમિતિ દ્વારા આ કોવિડના મુદ્દે ચર્ચા બાદ તરત જ વાપીમાં થઈ રહેલા પ્રદૂષણનો મુદ્દો ઉંચકયો હતો. વાપીમાં થઈ રહેલ પ્રદૂષણ મુદ્દે ચર્ચા કરાઈ હતી. વાપીમાં હવા-પાણી પ્રદૂષિત બન્‍યા છે. પ્રદૂષણ નિયંત્રણ માટે યોગ્‍ય પગલા ભરવામાં આવે તે જરૂરી છે.
આ ઉપરાંત કોરોનાથી બચવા માટે વલસાડ જિલ્લામાં રાત્રી કર્ફયુ લગાવવામાં આવ્‍યું છે. આ મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. કર્ફયુમાં સૌ કોઈએ સહકાર આપવો જોઈએ. સરકારનું આ પગલું સરાહનીય છે. તો બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાત્રિ કર્ફયુ માત્ર દેખાડો છે જેવા આક્ષેપ કરાયા હતાં. જો કર્ફયુ કરતા કોવિડ ટેસ્‍ટના સેન્‍ટરોમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. કોવિડ ટેસ્‍ટ માટે આવનારાઓને લાંબી લાઈનોમાં ઉભા નરહેવાનું અને દરેક સેન્‍ટરો પરથી કોવિડ ટેસ્‍ટના પરિણામો તરત જ મળી શકે. આ પત્રકાર પરિષદમાં ભોલાભાઈ, નિમેષભાઈ સહિતનાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને કોવિડ અને પ્રદુષણના મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત મહિલા ગ્રામસભા : દમણવાડા ગ્રા.પં. દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે થનારી ડ્રાઈવિંગ શીખવા માટેની પહેલ

vartmanpravah

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

Leave a Comment