જળ જંગલ જમીન અને જીવજંતુ આપણાં જીવનનો આધાર હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે કંપનીના પ્રેસિડેન્ટ આર.કે.કુંદનાનીએ કર્મચારીઓને લેવડાવેલો સંકલ્પ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં દર વર્ષની માફક આ વર્ષે પણ દેશની બ્રાન્ડેડ કેબલ અને વાયર ઉત્પાદક પોલીકેબ કંપની દ્વારા દરેક યુનિટોમાં પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડન્ટ શ્રી આર.કે.કુંદનાનીના માર્ગદર્શનમાં કંપની પ્રબંધક અને કર્મચારીઓએ કંપની પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગેકંપનીના પ્રેસિડન્ટ શ્રી રમેશ કુંદનાનીએ પર્યાવરણ દિવસના અભિનંદન આપતાં કર્મચારીઓ અને શ્રમિકોને પર્યાવરણના મહત્વની બાબતમાં જાણકારી આપી હતી. તેમણે કર્મચારીઓને જળ, જંગલ, જમીન અને જીવજંતુ આપણાં જીવનનો આધાર હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ લેવડાવ્યો હતો.
આ પ્રસંગે પોલીકેબ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ગજાનંદ વરૂડકર સહિત કંપનીના શ્રી અર્તવલ્લવ સ્વાઈ, શ્રી જયેન મહેતા, શ્રી મુકેશ વૈષ્ણવ, શ્રી તપસ પ્રમાણિક, શ્રી કે.વી.રાજુ, શ્રી પ્રેમ સોની, શ્રી શશી મેનન, શ્રી આશારામ રાવત, શ્રી એમ.ડી. જોષી, શ્રી આર.વી.સિંઘ, શ્રી મુરલી, શ્રી મનેક પારીખ, શ્રી પ્રશાંત થોરાત, શ્રી રઘુનાથ, શ્રી સોહિન્દુ પ્રધાન, શ્રી પ્રમેન્દ્ર સિંહ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.