Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત ‘કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું આજે સમાપન કરાયું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રેરણા અને પ્રદેશના શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં 6 દિવસીય ‘કલામૃતમ્‌’ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ આજે પોતાની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ કરી કેમ્‍પનું સમાપન કરાયું હતું. આ શિબિરમાં બાળકોને ચિલ્‍ડ્રનયુનિવર્સિટી ગુજરાતના અનુભવી અને વિવિધ કળાઓમાં મહારથ ધરાવતા નિષ્‍ણાંતો દ્વારા બાળ મનોવિજ્ઞાનને નજર સમક્ષ રાખી પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું.
આજે સમાપન પ્રસંગે ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડો. નિલેશ પંડયાએ ભવિષ્‍યમાં પણ આવા કાર્યક્રમોના આયોજન માટે પોતાની તત્‍પરતા બતાવી હતી. ભાગ લેનારા તમામ બાળકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્‍યા હતા.

Related posts

‘જળવાયું પરિવર્તન અને ભૂમિ બચાવો’ના સંદેશ સાથે નીકળેલા 17 વર્ષના યુવાનનું સેલવાસમાં આગમન

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

Leave a Comment