Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહના’ અહેવાલની અસર: ચીખલી તાલુકામાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.07: ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા સાથે તાલુકાના સરકારી પ્રાથમિક શિક્ષણનો તાગ મેળવવા માટે રિયાલિટી ચેકકરતા ચોંકાવનારા દૃશ્‍યો જોવા મળ્‍યા હતા. ‘‘તાલુકાની કેટલીક પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણની શાળામાં માત્ર એક જ શિક્ષક જોવા મળ્‍યા હતા ત્‍યારે માત્ર એક જ શિક્ષક વહિવટી કાર્યની સાથો સાથ એક સાથે ચાર ધોરણના બાળકોના અભ્‍યાસને કેવી રીતે ન્‍યાય આપી શકશે” એનો ‘‘વર્તમાન પ્રવાહ”માં અહેવાલ પ્રસારિત થતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે, તાલુકામાં મહત્તમ વસ્‍તી એસટી, એસસી અને ઓબીસી સમાજની છે. જેઓ આર્થિક રીતે નબળા હોવાના કારણે એમના બાળકો સરકારી પ્રાથમિક શાળાઓ પર નિર્ભર હોય છે. હાલે તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં 100 જેટલા શિક્ષકોની ઘટ છે. એકથી પાંચ ધોરણની કેટલીક પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક જોવા મળ્‍યા છે. ત્‍યારે શું સરકાર પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને ભણવા દેવા માંગતી નથી? અભણ રાખવા માંગે છે.? ત્‍યારે આ રીતે શિક્ષણ વ્‍યવસ્‍થામાં ઉભી કરવામાં આવેલી ખોટ સરકારી તંત્ર દ્વારા સુનિયોજિત ષડયંત્ર હોવાનું માલુમ થાય છે. જેથી એસટી, એસસી, ઓબીસી સમાજના બાળકોનો ભણતરનો પાયો કાચો રહે, આવનાર ભવિષ્‍ય માટે પગભર નહિ બને, જીવનભર મજૂરી કરીને એમનું જીવનપુરૂ થઈ જાય તેવા સરકારના આ અણધડ વહીવટને કારણે ખાનગી શાળાઓને પ્રોત્‍સાહન મળે છે.

શિક્ષકોની ભરતી નહીં કરાશે તો આંદોલન કરાશેઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ

હાલે શાળાનું નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થઈ ગયું છે. ત્‍યારે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવામાં આવે અને એક અઠવાડિયાના નિર્ધારિત સમયમાં બાકી રહેતા શિક્ષકોની ભરતી કરી વ્‍યવસ્‍થા પુરી પાડવામાં નહિ આવે તો બાળકોના ભવિષ્‍ય માટે રસ્‍તા પર ઉતરીને આંદોલન કરવાનો માર્ગ અપનાવવા પડશે તેવી ચીમકી પણ કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દ્વારા ઉચ્‍ચારવામાં આવી છે.

Related posts

વાપી ઓવરબ્રિજ નવિન કામગીરીમાં ફાટકથી લાઈટ વ્‍હિકલની સાથે મેઈન્‍ટેનન્‍સ માટે એસ.ટી.ને જવાની મંજુરીની માંગ

vartmanpravah

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

Leave a Comment