July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

કુલ ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવાશે

જિલ્લાની ૯૫૭ પ્રાથમિક શાળા માટે ૯૩ કલસ્ટર અને ૯૩ રૂટ નક્કી કરવામાં આવ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩નો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થનાર છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આજે તા. ૧૨ જૂનથી તા. ૧૩ જૂન સુધી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થશે. જેમાં રાજ્ય કક્ષાના પદાધિકારી અને અધિકારીઓને એક તાલુકો ફાળવી એ જ તાલુકાના ત્રણ કલસ્ટરની પ્રત્યેક દિવસે ત્રણ-ત્રણ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ ઉજવણીમાં વાલીઓ અને ગ્રામજનોને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયુ છે.
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ ઉમરગામ તાલુકાના ધોડીપાડા કલસ્ટરના ખંડવાઈ, મમકવાડા અને સરઈ ગામની પ્રાથમિક શાળામાં યોજનારા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. વલસાડ જિલ્લામાં ૬ તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪૨૮, બાલવાટીકામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીની સંખ્યા ૧૩૯૪૫, ધો.૧ માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૧૫ અને ૬ થી ૧૪ વર્ષ પુનઃ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૩૨ છે. આમ કુલ ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત સંભવિત રૂટનું તાલુકાવાર આયોજન કરાયુ છે. જે મુજબ વલસાડ જિલ્લાના ૬ તાલુકામાં ૯૫૭ પ્રાથમિક શાળાઓ છે. જે માટે ૯૩ કલસ્ટરની સંખ્યા નક્કી કરવામાં આવી છે. જે મુજબ ૯૩ સંભવિત રૂટ પર કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયુ છે.

Related posts

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

Leave a Comment