September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવ જિલ્લાના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.આ સમૂહ લગ્ન સમારંભનું આયોજન તા.11 અને 13 જૂન 2023ના રોજ કરવામાં આવ્‍યું છે. આજના સમૂહલગ્નમાં કુલ 30 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. સમુહ લગ્ન દરમિયાન દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપરાંત ગીર- સોમનાથના ધારાસભ્‍ય શ્રી વિમલ ચૂડાસમા, દીવ જિલ્લા કલેકટર શ્રી ફવર્મન બ્રહ્મા, એસ.પી. શ્રી મણીભૂષણ સિંઘ, ડેપ્‍યુટી કલેકટર શ્રી શિવમ મિશ્રા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન, બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિપક દેવજી, યુથ એક્‍શન ફોર્સના પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિન શાહ, વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમાજના હોદ્દેદારો, આગેવાનો અને કાઉન્‍સિલરો વગેરે ઉપસ્‍થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, સમૂહલગ્નનું આયોજન દર વર્ષે માછીમારી પ્રવૃત્તિ બંધ થાય ત્‍યારે વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે.

Related posts

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારના કૌંચા ગામના આદિવાસી નવયુવાન શૈલેષ ગાવિતની બી.એસ.એફ.માં પસંદગી થતાં સમગ્ર ગામમાં આનંદ અને ખુશીનું વાતાવરણઃ ગામલોકોએ કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યા

vartmanpravah

પારડીમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્‍યક્ષ સ્‍થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

Leave a Comment