Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉમરગામ તાલુકના ભીલાડ, નંદિગ્રામ અને તલવાડા ગામની પ્રાથમિક શાળામાં તા. ૧૨ જૂનના રોજ રાજ્ય સરકારના સચિવશ્રી સામાન્ય વહિવટ વિભાગ (આયોજન) રાકેશ શંકર (આઈએએસ)એ ભીલાડમાં આંગણવાડીમાં ૫ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૫ બાળકો, નંદિગ્રામમાં આંગણવાડીમાં ૯ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૧ તેમજ તલવાડામાં આંગણવાડીમાં ૨ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૩ બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ, સ્ટેશનરી અને ઈનામો સહિતની ભેટ સોગાદો સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સચિવશ્રી દ્વારા ગ્રામ પંચાયત ઘર, આંગણવાડી, સીએચસી, પીએચસી અને ગામમાં વિવિધ યોજનામાં હાથ ધરાયેલા વિકાસના કામોની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પર્યાવરણ બચાવોની ઝુંબેશ તથા કલાઈમેટ ચેન્જ માટે વૃક્ષારોપણ કરાયું હતું. બીજા દિવસે તા. ૧૩ જૂનના રોજ સચિવશ્રી રાકેશ શંકરએ સવારે ૮ કલાકે સંજાણ ખાતે આદર્શ બુનિયાદી શાળામાં આંગણવાડી, બાલવાટીકા અને ધો. ૧ માં કુલ ૭૦ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. વધુમાં તેમણે બાળકોને ઈનામ વિતરણ કરી પ્રસંગોચિત ઉદબોધન કરી બાળકોને ઉજ્જવળ ભાવિ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment