Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉમરગામ તાલુકના ભીલાડ, નંદિગ્રામ અને તલવાડા ગામની પ્રાથમિક શાળામાં તા. ૧૨ જૂનના રોજ રાજ્ય સરકારના સચિવશ્રી સામાન્ય વહિવટ વિભાગ (આયોજન) રાકેશ શંકર (આઈએએસ)એ ભીલાડમાં આંગણવાડીમાં ૫ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૫ બાળકો, નંદિગ્રામમાં આંગણવાડીમાં ૯ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૧ તેમજ તલવાડામાં આંગણવાડીમાં ૨ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૩ બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ, સ્ટેશનરી અને ઈનામો સહિતની ભેટ સોગાદો સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સચિવશ્રી દ્વારા ગ્રામ પંચાયત ઘર, આંગણવાડી, સીએચસી, પીએચસી અને ગામમાં વિવિધ યોજનામાં હાથ ધરાયેલા વિકાસના કામોની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પર્યાવરણ બચાવોની ઝુંબેશ તથા કલાઈમેટ ચેન્જ માટે વૃક્ષારોપણ કરાયું હતું. બીજા દિવસે તા. ૧૩ જૂનના રોજ સચિવશ્રી રાકેશ શંકરએ સવારે ૮ કલાકે સંજાણ ખાતે આદર્શ બુનિયાદી શાળામાં આંગણવાડી, બાલવાટીકા અને ધો. ૧ માં કુલ ૭૦ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. વધુમાં તેમણે બાળકોને ઈનામ વિતરણ કરી પ્રસંગોચિત ઉદબોધન કરી બાળકોને ઉજ્જવળ ભાવિ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 200 દિવસ પૂર્ણઃ વાયદાઓ ઠેરના ઠેર

vartmanpravah

Leave a Comment