Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સ્‍વાધ્‍યાય મંડળ, કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલય વર્ષ પ્રથમમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાનથી ગુરુકુળમાં અભ્‍યાસ માટે 27 ઋષિકુમારોને આવકાર આપી પ્રવેશ ઉત્‍સવ સંપન્ન કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમના પ્રમુખ સ્‍થાનેથી ગુજરાત રાજ્‍ય સંસ્‍કૃત બોર્ડ, ગાંધીનગરના અધ્‍યક્ષ શ્રી જયશંકરભાઈ રાવળે જીવનમાં સંસ્‍કૃત અને સંસ્‍કૃતિનું મહત્ત્વ સમજાવી ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને આગળ વધારતા વાલીઓએ પોતાના સંતાનોને પ્રવેશ અપાવ્‍યો તે બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. વર્તમાન સમયમાં શિક્ષણ અને વ્‍યવહારૂં જગતમાં કોમ્‍પ્‍યુટર વિજ્ઞાન ક્ષેત્રે સંસ્‍કૃત ભાષાના વધી રહેલા મહત્ત્વના ઉદાહરણ આપી સંસ્‍કૃતમાં ઉજ્જવળ ભવિષ્‍ય વિશે આશા વ્‍યક્‍ત કરી હતી. સંસ્‍કૃત માધ્‍યમના કારણે વિદ્યાર્થીઓ સરળ-સહજ સંસ્‍કૃત સંભાષણ કરતા થાય એ બાબત પર ભાર મૂકી સૌને સંસ્‍કૃતની આબોહવા સમજવા અનુરોધ કર્યો હતો. નૂતન ઋષિકુમારોને મહેમાનોના હસ્‍તે લેખિની, સ્‍વાધ્‍યાયપોથી અને ભગવાખેસ દ્વારા આવકાર અને આશિષ આપવામાં આવ્‍યા હતા.
સંસ્‍થાના મહામંત્રી શ્રી રાજેશભાઈ રાણાએ મહાનુભાવોનો પરિચય આપી સૌનું સ્‍વાગત કર્યું હતું.સંસ્‍થાના કાર્યકારી અધ્‍યક્ષ ડો. પ્રતાપભાઈ ઠોસરે વિદ્યાલયના આરંભથી મળીને અત્‍યાર સુધીના વિકાસની ગાથા રજૂ કરી ભવિષ્‍યમાં સંસ્‍કૃત મહાવિદ્યાલય શિરમોર બની રહે એવા જાગ્રત પ્રયાસો કર્યાની નેમ વ્‍યક્‍ત કરી સૌના સહકારની કામના કરી હતી.
અતિથિ વિશેષ સમાજસેવા અને અગ્રણી ઉદ્યોજક શ્રી કીર્તિભાઈ ત્રિવેદી દ્વારા સંસ્‍થાની સર્વતોમુખી વિકાસની કામના કરી હંમેશ મુજબના ઉમળકાભર્યા સહકારની હૈયાધારણ આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂં સંચાલન શ્રી પરેશભાઈ જાનીએ અને આભાર દર્શન પ્રાચાર્ય શ્રી પાર્થભાઈ ભટ્ટએ કર્યું હતું.

Related posts

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજની કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પરથી ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

vartmanpravah

Leave a Comment