Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સ્‍વાધ્‍યાય મંડળ, કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલય વર્ષ પ્રથમમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાનથી ગુરુકુળમાં અભ્‍યાસ માટે 27 ઋષિકુમારોને આવકાર આપી પ્રવેશ ઉત્‍સવ સંપન્ન કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમના પ્રમુખ સ્‍થાનેથી ગુજરાત રાજ્‍ય સંસ્‍કૃત બોર્ડ, ગાંધીનગરના અધ્‍યક્ષ શ્રી જયશંકરભાઈ રાવળે જીવનમાં સંસ્‍કૃત અને સંસ્‍કૃતિનું મહત્ત્વ સમજાવી ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને આગળ વધારતા વાલીઓએ પોતાના સંતાનોને પ્રવેશ અપાવ્‍યો તે બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. વર્તમાન સમયમાં શિક્ષણ અને વ્‍યવહારૂં જગતમાં કોમ્‍પ્‍યુટર વિજ્ઞાન ક્ષેત્રે સંસ્‍કૃત ભાષાના વધી રહેલા મહત્ત્વના ઉદાહરણ આપી સંસ્‍કૃતમાં ઉજ્જવળ ભવિષ્‍ય વિશે આશા વ્‍યક્‍ત કરી હતી. સંસ્‍કૃત માધ્‍યમના કારણે વિદ્યાર્થીઓ સરળ-સહજ સંસ્‍કૃત સંભાષણ કરતા થાય એ બાબત પર ભાર મૂકી સૌને સંસ્‍કૃતની આબોહવા સમજવા અનુરોધ કર્યો હતો. નૂતન ઋષિકુમારોને મહેમાનોના હસ્‍તે લેખિની, સ્‍વાધ્‍યાયપોથી અને ભગવાખેસ દ્વારા આવકાર અને આશિષ આપવામાં આવ્‍યા હતા.
સંસ્‍થાના મહામંત્રી શ્રી રાજેશભાઈ રાણાએ મહાનુભાવોનો પરિચય આપી સૌનું સ્‍વાગત કર્યું હતું.સંસ્‍થાના કાર્યકારી અધ્‍યક્ષ ડો. પ્રતાપભાઈ ઠોસરે વિદ્યાલયના આરંભથી મળીને અત્‍યાર સુધીના વિકાસની ગાથા રજૂ કરી ભવિષ્‍યમાં સંસ્‍કૃત મહાવિદ્યાલય શિરમોર બની રહે એવા જાગ્રત પ્રયાસો કર્યાની નેમ વ્‍યક્‍ત કરી સૌના સહકારની કામના કરી હતી.
અતિથિ વિશેષ સમાજસેવા અને અગ્રણી ઉદ્યોજક શ્રી કીર્તિભાઈ ત્રિવેદી દ્વારા સંસ્‍થાની સર્વતોમુખી વિકાસની કામના કરી હંમેશ મુજબના ઉમળકાભર્યા સહકારની હૈયાધારણ આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂં સંચાલન શ્રી પરેશભાઈ જાનીએ અને આભાર દર્શન પ્રાચાર્ય શ્રી પાર્થભાઈ ભટ્ટએ કર્યું હતું.

Related posts

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment