પડોસી મહંમદ સલીમએ પરણિતા લક્ષ્મીને અઘટિત માંગણી અંતર્ગત મોતને ઘાટ ઉતારી દીધી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી છરવાડા રમઝાનવાડી સ્થિત ગુરુકૃપા બિલ્ડીંગમાં બે બાળકીઓ સાથે રહેતી નેપાળી પરણિતાની નિર્મમક્રુર હત્યા ગત 14મી જૂને કરાઈ હતી. જેનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. પાડોશમાં રહેતો આરોપી બદ્દઈરાદાને લઈ રાતે પરણિતાના ઘરમાં પ્રવેશ્યો હતો. જેમાં તેનો મનસુબો કારગત નહી નિવડતા પરણિતાને નિર્મમ હત્યા કરી હતી.
ચકચારી પરણિતા હત્યા પ્રકરણની વિગતો મુજબ વાપી છરવાડા રમઝાનવાડીમાં આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે પત્ની લક્ષ્મી સિંગ બે સંતાનો સાથે રહેતી હતી. પતિ સેલવાસ હોટલમાં નોકરી કરતો હતો. સપ્તાહમાં ઘરે આવતો હતો તેથી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા મહમદ સલીમ મહમદ હકીમ રાઈન બદઈરાદે રાત્રે પરણિતાના ઘરનો દરવાજો ખખડાવી પ્રવેશ્યો હતો અને અઘટિત માંગણી કરી હતી. ઘરેથી બ્લેડ લઈને આવ્યો હતો અને હત્યા કરીને બ્લેડ ત્યાંજ ફેંકી રાતે નિકળી સવારે કંપનીમાં નોકરીએ જતો રહ્યો હતો. પોલીસે સર્વેલન્સ આધારે હત્યારા સલીમ મહંમદને બ્લેડને આધારે ઝડપી લીધો હતો. કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ ઉપર આરોપીને મોકલી આપ્યો છે.