December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

રેન્‍જ આઈજી સહિતના ઉચ્‍ચ અધિકારીઓની મીટિંગ : શહેરમાં પોલીસે ફૂટ માર્ચ યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: રથયાત્રાનું ધાર્મિક મહિમા વધુ છે. લોકોની આસ્‍થા જોડાયેલી છે. તેથી વિવિધ મંદિર અને ટ્રસ્‍ટો દ્વારા રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વલસાડ અને વાપી શહેરમાં આવતી કાલ તા.20 મંગળવારે અષાઢી બીજના શુભ દિને બન્ને શહેરોમાં રથયાત્રાઓ નિકળવાની હોવાથી પોલીસ એલર્ટ બની ગઈ છે. કોઈ છમકલા ના થાય તે માટે ઉચ્‍ચ અધિકારીઓએ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટેનું આયોજન સંપન્ન કરી દીધું છે. વલસાડના મોંઘાભાઈ હોલમાં શહેરના અગ્રણીઓ સાથે પોલીસે મીટિંગ યોજી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
વલસાડમાં ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળશે જે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પરિક્રમા કરશે તે માટે ભક્‍તોએ ભગવાનના કલાત્‍મક રથ અને શણગાર પરિપૂર્ણ કરી દીધા છે. વાપીમાં પણ જગન્નાથ ટ્રસ્‍ટ ડુંગરા અને ઈસ્‍કોનકોપરલી દ્વારા રથયાત્રાના ભવ્‍ય આયોજન કરાયા છે. ઈસ્‍કોનની રથયાત્રા પટેલવાડી છરવાડાથી નિકળશે અને અંબામાતા મંદિરે થઈ રાતા, કોપરલી પહોંચશે. રથયાત્રા અને આગામી બકરી ઈદ ધ્‍યાને રાખી પોલીસે ગતરોજ વલસાડ શહેરમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

Related posts

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment