Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્‍ય નજરાણા એવા વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક આગામી 26મી જૂનથી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં વન્‍ય પ્રાણીઓના સંવનનનો સમય હોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા સંચાલિત વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ચોમાસા દરમિયાન પ્રવાસે આવનાર મુલાકાતીઓ માટે આગામી 26મી જૂનથી ઓક્‍ટોબર, 2023 સુધી બંધ રહેશે, એમ વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ડેપ્‍યુટી કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ વાઈલ્‍ડ લાઈફ ડિવિઝન દ્વારા એક અખબારીયાદી દ્વારા દરેક પર્યટકો અને તમામ જનતાને સૂચિત કરવામાં આવે છે. આ બન્ને પર્યટન સ્‍થળ વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ આગળના આદેશ બાદ ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

Related posts

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah

આજે દાનહ, દમણ અને દીવ જી.પં. તથા સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

Leave a Comment