September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નોન ફાયર, કુકિંગ કાર્ડ મેકિંગ અને રેમ્‍પ વોક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાઓમાં વિદ્યાર્થીઓના પિતાઓએ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

નોન ફાયરકુકિંગમાં 48 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો અને કાર્ડ મેકિંગમાં 29 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. જ્‍યારે 38 સ્‍પર્ધકોએ રેમ્‍પ વોકમાં ભાગ લીધો હતો. આ તમામ પ્રવૃતિ દરમિયાન તમામ વાલીઓએ ખૂબ જ મજા કરી હતી અને તેઓએ ખૂબ જ આનંદ લીધો હતો. સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજીએ આ પ્રસંગે વર્તમાન સમયમાં લુપ્ત થઈ રહેલા ભારતીય પારિવારિક જીવન અને ભારતીય સંસ્‍કાર, સંસ્‍કળતિ અને તેને ટકાવી રાખવા આપણી ફરજ ઉપર સુંદર પ્રવચન આપ્‍યું હતું. તેમણે નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરયેલા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. સાથે શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. તેમણે વાલીઓને બાળકોની અને વાલીપણાની કાળજી લેવાનું પણ શીખવ્‍યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં પૂર્વ પ્રાથમિક આચાર્ય નીતુ સિંઘ અને તેમના શિક્ષકોનો સંપૂર્ણ સહકાર હતો, તેમની સાથે સંસ્‍થાના ટ્રસ્‍ટી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, શ્રી મનસુખભાઈ ગોંડલીયા, શ્રીમતી યોગીનીબેન તથા ડાયરેક્‍ટર શ્રી શૈલેષ લુહાર અને શ્રી હિતેન ઉપાધ્‍યાય અને તમામ વિભાગના આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી દક્ષાબેન પટેલ, શ્રી સચિન નાયરખેડે પણ હાજરી આપી હતી.આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકો અને પિતાવચ્‍ચે સમન્‍વય સ્‍થાપિત કરવાનો અને બાળકોને આપણી પ્રાચીન સંસ્‍કળતિ માતૃ દેવો ભવ પિત્ર દેવો ભવથી વાકેફ કરવાનો હતો.

Related posts

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

Leave a Comment