(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ધરમપુરના પીપળોદ ગામે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની મોટી ઢોલડુંગરી ગામના લોકોએ પૂજા કરી, પરંપરાગત વર્ષો જુની પ્રથા અનુસાર વરસાદી દેવતાની પૂજા કરી હતી. સારો વરસાદ પડે, ગામમાં સુખ-શાંતિ, સારો પાક થાય તે માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજામાં સરપંચ નવિનભાઈ પવાર, ડે.સરપંચ વિલીયમભાઈ, મહેન્દ્રભાઈ જેવા વડીલો પ્રકૃતિપૂજામાં જોડાયા હતા. આદિવાસી સમાજની વર્ષો જુની પરંપરા આજે પણ બરકરાર સચવાઈ રહી છે. આ અંધશ્રધ્ધા નથી તેવુ લોકો દૃઢપણે માની રહ્યા છે.