Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

સૌથી વધારે ઉમરગામ અને વલસાડમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: પ્રતિવર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન સરેરાશ દશ દિવસ ખેંચાયું છે. એવરેજ જૂન 10 થી 15 વચ્‍ચે વલસાડ જિલ્લામાં વરસાદ એન્‍ટ્રી લઈ લેતો હતો પરંતુ વર્ષે સાયક્‍લોનને લીધે હવામાનમાં ફેરફાર આધિન ચોમાસા ઉપર અસર થયેલી જોવા મળી છે. અલબત્ત છેલ્લા 24 કલાકમાં વાપી સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાએ દસ્‍તક દઈ દીધા છે. ક્‍યાંક ઓછો તો ક્‍યાંક વધુ પણ વરસાદે ધરણી ભીંજવીને વાતાવરણને મન મોહક ઠંડું જરૂર કરી દીધું છે.
વલસાડ જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ઉમરગામ વિસ્‍તારમાં અને વલસાડ વિસ્‍તારમાં પડયો છે. એવરેજ ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉનાળાની અતિશય કાળઝાળ ગરમી અને તેમાં પણ વરસાદ ખેંચાતા લોકો ભારે અકળામણ અનુભવતા હતા ત્‍યાં જ વરસાદે દસ્‍તક દેતાની દેતાની સાથે જ વાતાવરણમાં શિતળતા લહેરાતી થઈ જવા પામી છે. એ.સી.ના બટન પ્રકૃતિએ ઓફ કરાવી દીધા છે તો રેઈનકોટ અને છત્રીઓ સાથેનું જનજીવન હલચલ કરતું નજરાઈ રહ્યું છે. વહેલી સવારે બે બપોરે સ્‍કૂલમાં જતા ભુલકાઓ પણ રેઈનકોટ કેછત્રીનો સથવારો લીધેલો જોવા મળે છે. હવે ખરી પરીક્ષા પાલિકા અને પંચાયતોની થવાની છે. પ્રિમોન્‍સુન કામગીરીની વેઠ આધિન ઠેર ઠેર રોડ રસ્‍તા ધોવાઈ જવાના કે ખાડા પડવાનો નજારો પણ વરસાદમાં આમ રીતે જોવા મળશે.

Related posts

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

પારડીની પરણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

Leave a Comment