Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

સૌથી વધારે ઉમરગામ અને વલસાડમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: પ્રતિવર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન સરેરાશ દશ દિવસ ખેંચાયું છે. એવરેજ જૂન 10 થી 15 વચ્‍ચે વલસાડ જિલ્લામાં વરસાદ એન્‍ટ્રી લઈ લેતો હતો પરંતુ વર્ષે સાયક્‍લોનને લીધે હવામાનમાં ફેરફાર આધિન ચોમાસા ઉપર અસર થયેલી જોવા મળી છે. અલબત્ત છેલ્લા 24 કલાકમાં વાપી સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાએ દસ્‍તક દઈ દીધા છે. ક્‍યાંક ઓછો તો ક્‍યાંક વધુ પણ વરસાદે ધરણી ભીંજવીને વાતાવરણને મન મોહક ઠંડું જરૂર કરી દીધું છે.
વલસાડ જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ઉમરગામ વિસ્‍તારમાં અને વલસાડ વિસ્‍તારમાં પડયો છે. એવરેજ ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉનાળાની અતિશય કાળઝાળ ગરમી અને તેમાં પણ વરસાદ ખેંચાતા લોકો ભારે અકળામણ અનુભવતા હતા ત્‍યાં જ વરસાદે દસ્‍તક દેતાની દેતાની સાથે જ વાતાવરણમાં શિતળતા લહેરાતી થઈ જવા પામી છે. એ.સી.ના બટન પ્રકૃતિએ ઓફ કરાવી દીધા છે તો રેઈનકોટ અને છત્રીઓ સાથેનું જનજીવન હલચલ કરતું નજરાઈ રહ્યું છે. વહેલી સવારે બે બપોરે સ્‍કૂલમાં જતા ભુલકાઓ પણ રેઈનકોટ કેછત્રીનો સથવારો લીધેલો જોવા મળે છે. હવે ખરી પરીક્ષા પાલિકા અને પંચાયતોની થવાની છે. પ્રિમોન્‍સુન કામગીરીની વેઠ આધિન ઠેર ઠેર રોડ રસ્‍તા ધોવાઈ જવાના કે ખાડા પડવાનો નજારો પણ વરસાદમાં આમ રીતે જોવા મળશે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment