Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મસાટથી ખાનવેલ તરફ જતો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને ખખડધજ બની જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. આ રસ્‍તા ઉપરથી રોજબરોજ પસાર થતા વાહન ચાલકોના જણાવ્‍યા અનુસાર છેલ્લાં ચાર વર્ષથી રસ્‍તો જર્જરીત હાલતમાં જ છે. તંત્રને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્‍યું નથી. હાલમાં વરસાદના સમયે વાહન ચલાવવા ખુબ જ મુશ્‍કેલ થઈ જાય છે. રસ્‍તા ઉપર પાણી ભરાયેલ હોવાને કારણે ખાડાનો અંદાજ પણ નહીં આવતા નાના વાહનચાલકો અકસ્‍માતનો શિકાર બની રહ્યા છે. વારંવાર ખરાબ રસ્‍તાના મુદ્દે પ્રશાસન અને જન પ્રતિનિધિઓ સમક્ષ ફરિયાદો કરવામાં આવે છે, છતાં પણ યોગ્‍ય સંતોષકારક જવાબ મળતો નથી.
જન પ્રતિનિધિઓ ચૂંટણી સમયે અને મંત્રી-નેતાઓની મુલાકાત સમયે જ પ્રજા સમક્ષ પ્રગટ થાયછે, બાકીના સમયે અદ્રશ્‍ય રહેતા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. રસ્‍તા બનાવનાર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા પણ યોગ્‍ય નિરીક્ષણ કરવું એ તેમની નૈતિક ફરજ છે. કારણ કે, સારા રસ્‍તા બન્‍યા બાદ પણ પહેલા વરસાદમાં જ ડામર માટી મટીરીયલ અલગ થઈ વહી જાય છે એવું મોટાભાગે જોવા મળતું હોય છે.
ગત વર્ષે બનેલ રીંગરોડ પરના ખાડાઓના કારણે વરસાદમાં કેટલીક દુર્ઘટનાઓનું કારણ બન્‍યા હતા. આવા જે રદ્દી કામ કરનાર કોન્‍ટ્રાક્‍ટરોને બ્‍લેકલીસ્‍ટ ઘોષિત કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી લોકમાંગ પ્રબળ બની છે.

Related posts

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment