March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી થઈ છે ત્‍યારે દાદરા નગર હવેલીના આંબોલી ડુંગરીપાડા ગામમાં આઝાદીના 75 વર્ષો બાદ પણ રસ્‍તો નહીં હોવાને કારણે ગામના યુવાનોએ ભેગા થઈ તેઓએ પોતાની શ્રમ શક્‍તિનો ઉપયોગ કરી રોડ મટીરીયલ નાખી રસ્‍તાનું નિર્માણ કરી એક ઉદાહરણ પુરૂં પાડયું છે.
ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર રસ્‍તાના નિર્માણ માટે ગામના સરપંચ સહિત જિલ્લા પંચાયતના સભ્‍ય અને અન્‍ય પદાધિકારીઓને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ જન પ્રતિનિધિઓએ આ તરફ કોઈ લક્ષ્ય આપ્‍યું નથી. હાલમાં જ્‍યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેના કારણે ધોધમાર વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામના લોકોને રોજીંદા અવરજવર માટે ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે.જેને ધ્‍યાનમાં લઈ ગામના યુવાઓ ભેગા થઈ પ્રશાસનની રાહ જોયા વિના જાતે જ રોડ મટીરીયલ નાખી રસ્‍તાનું નિર્માણ કર્યું છે જે સૌના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ગામના આદિવાસી યુવાઓ દ્વારા આ પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્‍યું છે.

Related posts

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

Leave a Comment