April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી થઈ છે ત્‍યારે દાદરા નગર હવેલીના આંબોલી ડુંગરીપાડા ગામમાં આઝાદીના 75 વર્ષો બાદ પણ રસ્‍તો નહીં હોવાને કારણે ગામના યુવાનોએ ભેગા થઈ તેઓએ પોતાની શ્રમ શક્‍તિનો ઉપયોગ કરી રોડ મટીરીયલ નાખી રસ્‍તાનું નિર્માણ કરી એક ઉદાહરણ પુરૂં પાડયું છે.
ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર રસ્‍તાના નિર્માણ માટે ગામના સરપંચ સહિત જિલ્લા પંચાયતના સભ્‍ય અને અન્‍ય પદાધિકારીઓને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ જન પ્રતિનિધિઓએ આ તરફ કોઈ લક્ષ્ય આપ્‍યું નથી. હાલમાં જ્‍યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેના કારણે ધોધમાર વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામના લોકોને રોજીંદા અવરજવર માટે ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે.જેને ધ્‍યાનમાં લઈ ગામના યુવાઓ ભેગા થઈ પ્રશાસનની રાહ જોયા વિના જાતે જ રોડ મટીરીયલ નાખી રસ્‍તાનું નિર્માણ કર્યું છે જે સૌના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ગામના આદિવાસી યુવાઓ દ્વારા આ પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્‍યું છે.

Related posts

વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર્સ તૈયાર હોવા છતાં બ્‍લડ બેંક કાર્યરત નહી થતા પ્રાંતમાં રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

Leave a Comment