Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

ડોકમરડીનો જૂનો પુલ અવર-જવર માટે જિલ્લા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. જેના કારણે અંતરિયાળ વિસ્‍તારના ડૂંગરાળ પ્રદેશમાં ઝરણાં ફૂટી નીકળતા નદી-નાળા પણ છલકાયા હતા. સેલવાસ શહેર સહિત કેટલાક નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ડોકમરડી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા નીચેનો પુલ દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા અગમચેતીના પગલાં રૂપે પુલના બંને છેડે બેરેક મુકી બંધ કરી દેવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે આજ નીચેના પુલ ઉપરથી એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં બે વ્‍યક્‍તિ(પિતા-પુત્ર)ના મોત થયા હતા. જેથી ફરી એવી અનિચ્‍છનીય ઘટના નહીં બને તે માટે આ વર્ષે ડોકમરડીનો જુનો પુલ બંધ કરી દેવામાં આવ્‍યો છે. શુક્રવારની મધ્‍યરાત્રિથી મોડી સાંજ સુધી ભારે વરસાદ વરસ્‍યો હતો જેમાં સેલવાસમાં 114.6 એમએમ ચાર ઇંચથી વધુ અને ખાનવેલમાં 25.6 એમએમ 1.01 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 447.6 એમએમ 17.62 ઇંચ અને ખાનવેલમાં 508.2 એમએમ20.01 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમની જળસપાટી 68.15 મીટર છે જ્‍યારે ડેમમાં પાણીની આવક 3691 ક્‍યુસેક અને પાણીની જાવક 353 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

vartmanpravah

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment