October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

ડોકમરડીનો જૂનો પુલ અવર-જવર માટે જિલ્લા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. જેના કારણે અંતરિયાળ વિસ્‍તારના ડૂંગરાળ પ્રદેશમાં ઝરણાં ફૂટી નીકળતા નદી-નાળા પણ છલકાયા હતા. સેલવાસ શહેર સહિત કેટલાક નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ડોકમરડી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા નીચેનો પુલ દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા અગમચેતીના પગલાં રૂપે પુલના બંને છેડે બેરેક મુકી બંધ કરી દેવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે આજ નીચેના પુલ ઉપરથી એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં બે વ્‍યક્‍તિ(પિતા-પુત્ર)ના મોત થયા હતા. જેથી ફરી એવી અનિચ્‍છનીય ઘટના નહીં બને તે માટે આ વર્ષે ડોકમરડીનો જુનો પુલ બંધ કરી દેવામાં આવ્‍યો છે. શુક્રવારની મધ્‍યરાત્રિથી મોડી સાંજ સુધી ભારે વરસાદ વરસ્‍યો હતો જેમાં સેલવાસમાં 114.6 એમએમ ચાર ઇંચથી વધુ અને ખાનવેલમાં 25.6 એમએમ 1.01 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 447.6 એમએમ 17.62 ઇંચ અને ખાનવેલમાં 508.2 એમએમ20.01 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમની જળસપાટી 68.15 મીટર છે જ્‍યારે ડેમમાં પાણીની આવક 3691 ક્‍યુસેક અને પાણીની જાવક 353 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

વલસાડની સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના સ્‍પે. આસિસ્‍ટન્‍ટનો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment