January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

કરવડથી ખાનપુર રોડ બેહાલ :
ઠેર ઠેર ખાડાને લઈ વારંવાર સર્જાતા અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીથી શામળાજી નેશનલ હાઈવેનો કહેવાતા 22.5 કરોડના ખર્ચે બનાવાયો છે પરંતુ આ રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર આચરાયા હોવાના આક્ષેપ ધરમપુર તા.પં. સભ્‍યએ પ્રાંતમાં કરેલ લેખિત ફરિયાદમાં જણાવાયું છે.
વાપી શામળાજી રોડએ વરસાદ પહેલાં જ જવાબ આપી દીધો હતો. વરસાદ બાદ તો રોડની હાલત અત્‍યંત ખરાબ, ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ચૂક્‍યા છે. રોડ અને પુલ પર પડી ગયેલા ખાડાઓને લઈ વારંવાર નાના મોટા અકસ્‍માતો થતા રહ્યા છે તેથી ધરમપુર તા.પં. સભ્‍ય કલ્‍પેશ પટેલએ આજે ધરમપુર પ્રાંતમાં આપેલ લેખિત ફરિયાદ મુજબ તેમણે માંગણી કરી છે કે રોડને લઈ કોઈ અકસ્‍માતનો ભોગ બને તો તેનું વળતર કોન્‍ટ્રાક્‍ટરે ચુવવું, પ્રજાના ટેક્ષના રૂપિયાથી કરેલ રોડ કામગીરીના કોન્‍ટ્રાક્‍ટરને બ્‍લેકલીસ્‍ટ કરવો જોઈએ. તેમજ હાલમાં ખાડાઓનું રિપેરીંગ સમારકામ પ્રોપર અને તાકીદે કરવું જોઈએ તેવી માંગણી સહિત કલ્‍પેશ પટેલએ ચિમકી ઉચ્‍ચારી હતી કે પ્રજાના પ્રતિનિધિ તરીકે રસ્‍તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.

Related posts

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

વાપી છરવાડા રમઝાનવાડી સોફાની દુકાનમાં ભીષણ આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

Leave a Comment