August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

કરવડથી ખાનપુર રોડ બેહાલ :
ઠેર ઠેર ખાડાને લઈ વારંવાર સર્જાતા અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીથી શામળાજી નેશનલ હાઈવેનો કહેવાતા 22.5 કરોડના ખર્ચે બનાવાયો છે પરંતુ આ રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર આચરાયા હોવાના આક્ષેપ ધરમપુર તા.પં. સભ્‍યએ પ્રાંતમાં કરેલ લેખિત ફરિયાદમાં જણાવાયું છે.
વાપી શામળાજી રોડએ વરસાદ પહેલાં જ જવાબ આપી દીધો હતો. વરસાદ બાદ તો રોડની હાલત અત્‍યંત ખરાબ, ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ચૂક્‍યા છે. રોડ અને પુલ પર પડી ગયેલા ખાડાઓને લઈ વારંવાર નાના મોટા અકસ્‍માતો થતા રહ્યા છે તેથી ધરમપુર તા.પં. સભ્‍ય કલ્‍પેશ પટેલએ આજે ધરમપુર પ્રાંતમાં આપેલ લેખિત ફરિયાદ મુજબ તેમણે માંગણી કરી છે કે રોડને લઈ કોઈ અકસ્‍માતનો ભોગ બને તો તેનું વળતર કોન્‍ટ્રાક્‍ટરે ચુવવું, પ્રજાના ટેક્ષના રૂપિયાથી કરેલ રોડ કામગીરીના કોન્‍ટ્રાક્‍ટરને બ્‍લેકલીસ્‍ટ કરવો જોઈએ. તેમજ હાલમાં ખાડાઓનું રિપેરીંગ સમારકામ પ્રોપર અને તાકીદે કરવું જોઈએ તેવી માંગણી સહિત કલ્‍પેશ પટેલએ ચિમકી ઉચ્‍ચારી હતી કે પ્રજાના પ્રતિનિધિ તરીકે રસ્‍તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.

Related posts

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

vartmanpravah

બાલદામાં થયેલ બુલેટ અને કાર વચ્‍ચે અકસ્‍માતની 22 દિવસ બાદ ફરિયાદ

vartmanpravah

Leave a Comment