October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

તંત્રએ રહીશોને મોડી રાતે સેલટર હોમમાં ખસેડયા : સુવિધાના અભાવે લોકો રાતભર અટવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ શહેરની મધ્‍યમાં શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસનો 50 ફૂટ જેટલો સ્‍લેબ રાત્રે 9 વાગ્‍યાના સુમારે અચાનક ધરાશયી થતા રહીશોના માથે આભ તૂટી પડયાનો અહેસાસ થયો હતો. વહીવટી તંત્રએ રહીશોને સેલ્‍ટર હોમમાં ખસેડયા હતા તેમજ દુર્ઘટનામાં ત્રણેકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
વલસાડ શાકભાજી માર્કેટ પાસે 120 આવાસીય મકાનો જર્જરીત થઈ ચૂક્‍યા છે. 40 વર્ષ પહેલાની આ ખખડધજ ઈમારતમાં લોકો જીવના જોખમે રહે છે. પાલિકાની બેદરકારીને લઈ જાહેર સલામતિ માટે આ ઈમારત જોખમી બની હોવા છતાં પાલિકા નજરઅંદાજ કરી રહેલ છે. પરિણામે ક્‍યારેક મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહી. રવિવારે 9 વાગ્‍યાના સુમારે આ આવાસનો આશરે 50 ફૂટનો સ્‍લેબ અચાનક જમીન દોસ્‍ત થતા લોકોમાં નાસભાગ મચીહતી. આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. કોઈ ઘાયલ થયું છે કે કેમ તેની જાણકારીમાં લાગ્‍યા હતા. બીજી તરફ પાલિકાએ રહીશોને નજીકના સેલ્‍ટર હોમમાં ખસેડી દીધા હતા. પરંતુ તેમાં કોઈ સગવડ નહી હોવાથી લોકો રાતભર અટવાતા રહ્યા હતા અને આજે સોમવારે ઈમારતનું ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Related posts

વલસાડ કોસંબાના મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવી : પોલીસ અને કોસ્‍ટગાર્ડની દોડધામ

vartmanpravah

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

વાપી હાઈવે ઉપર થાર જીપ અને ટેમ્‍પો ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : વાહનો નુકશાનગ્રસ્‍ત થયા

vartmanpravah

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment