Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ‘‘ગુરૂ પૂર્ણિમા”ના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બી.એડ.ના પ્રાધ્‍યાપકોનું કુમકુમના ચાંદલો કરી કાર્યક્રમ માટે આવકાર્યા હતા. દીપ પ્રાગટય કરી એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્‍યારબાદ બી.એડ.ના તમામ પ્રાધ્‍યાપકોનું પુષ્‍પ વડે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થી વૈરાગી પ્રિયંકા દ્વારા સ્‍તુતિ નૃત્‍ય, ગ્રુપ ડાન્‍સ દ્વારા ગુરુ સ્‍તુતિ, નૃત્‍ય, પટેલ ક્રેની અને પટેલ કરીના દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે વક્‍તવ્‍ય, વૈશાલી પટેલ અને મનાલી ધોડી દ્વારા કાવ્‍ય પઠન, મનીષા પટેલ દ્વારા દોહા ગાન, પ્રતીક્ષા પટેલ દ્વારા ગુરુ પૂર્ણિમાને લાગતી પ્રશ્નોત્તરી અને ગુરુનું વિશેષ મહત્ત્વ સમજાવતું નાટક રજૂ કરવામાં આવ્‍યું હતું. જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. ત્‍યારબાદ એસ.વાય. બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા પીપીટી પ્રેઝન્‍ટેશન દ્વારા વૈદિક કાળના ગુરુઓનો વિશિષ્‍ટ પરિચય કરાવી આપણી ભુલાતી જતી સંસ્‍કૃતિને ઉજાગરકરવાનો સમર્થ પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યા ડો.પ્રીતિ ચૌહાણ, ડો.ગુંજન વશી, ડો.રાહુલ ટંડેલ, ડો.વૈશાલી દેસાઈ અને પ્રા.અક્ષય ટંડેલ દ્વારા આશીર્વચનનો આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એફ.વાય. બી.એડ.ના તાલીમાર્થી મનાલી પટેલ, જયશ્રી ધોડી, એશ્વર્યા પટેલ અને પલક પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.વૈશાલી દેસાઈ, પ્રા.દીક્ષિતા ઢીમ્‍મર અને ડો.સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત કેમિકલ કંપનીમાં લાગેલી ભિષણ આગ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

Leave a Comment