September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ખાનગી કંપનીના સહયોગથી 43000 નિર્ધુમ ચૂલાનું વિનામૂલ્‍યે વિતરણ કરાયું: કોઈપણ જાતના ભેદભાવ વિના વિતરણ કરાયેલનિર્ધુમ ચૂલાથી પ્રકળતિના જતન સાથે મહિલાઓના આરોગ્‍ય માટે લાભદાયી

– દિપક સોલંકી દ્વારા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.04: નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં ચૂલાના વિતરણ થી ગૃહિણીઓનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે અને પર્યાવરણની જાળવણી થાય એ શુભ આશય સાથે ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડાથી અને ઝડપથી સળગતા ધુમાડા વિહીન 43000 જેટલા નિર્ધુમ ચૂલાનું વિતરણ કરતા મહિલાઓમાં ખુશી છે તો બીજીબાજુ પર્યાવરણ બચાવવાની એક અનોખી પહેલ છે.
આદિવાસી ઘરોમાં અને ખાસ કરીને ગરીબોના ઘરે આજે પણ રસોઈ ચૂલા પર રસોઈ બને છે. પરંતુ ચૂલો સળગાવવા લાકડા અને લાકડા સળગાવવા પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ થાય છે. જેથી મહિલાઓ ધુમાડાથી હેરાન પરેશાન થઈ જાય છે. જેને કારણે ગૃહિણીઓના આરોગ્‍ય સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે. ત્‍યારે વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા આ બાબતે ચિંતા વ્‍યક્‍ત કરતાંની સાથે, આ મહિલાઓ ચૂલામાં પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરે છે, તો તેમના આરોગ્‍ય પર શું અસર થશે? આ સાથે સાથે વૃક્ષો પણ કપાશે તો આદિવાસી મહિલાઓ માટે ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડાનો ઉપયોગ થાય, ધુમાડા નહી થાય અને ઝડપથી સળગતા થર્મલઆધારિત ચૂલા આપી આદિવાસી મહિલાઓને ધુમાડા કાઢતા દેશી ઘરેલુ ચૂલાથી મુક્‍તિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.
એકબાજુ આદિવાસી વિસ્‍તાર હોય માંડ માંડ રોજગારી મેળવતા પરિવારો માટે સિલીન્‍ડર ભરાવવો મુશ્‍કેલી ભર્યું કામ છે. કેટલાક પરિવારોને ત્‍યાં કેરોસીન મળતું પણ બંધ થયું છે ત્‍યારે આ આદિવાસી વિસ્‍તારની મહિલાઓએ જંગલમાંથી લાકડાં લાવવા મુશ્‍કેલ હોય છે. ઝાડ કાપવા, એના લાકડા કરવા અને વજનવાળા લાકડા ઉંચકીને ઘર સુધી લાવવા પડે છે. જેમાં પણ ચૂલો સળગાવવા પ્‍લાસ્‍ટિક શોધવા પણ જવુ પડે છે. ત્‍યારે નિર્ધુમ ચૂલામાં થર્મલ હોવાને કારણે મહિલાઓએ ફક્‍ત નાની નાની લાકડી, કરસાટીથી જ કામ ચાલી જાય છે. નાની લાકડી અને કાગળથી ચૂલો સળગી જાય છે અને થરમલને કારણે તરત જ હીટ પકડી લે છે અને ધુમાડા વગર ઓછા સમયમાં રસોઈ તૈયાર થાય છે. જેના કારણે મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે.
આ નિર્ધુમ ચૂલાના ફાયદાઓ જોઈએ તો પ્રકળતિનું જતન થાય છે, તો પહેલા પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ થતો, લાકડા સળગાવવા એના ધુમાડાથી કેન્‍સર જેવી બીમારીની ભીતિ હતી તેમાંથી છુટકારો મળ્‍યો છે. તો આ ચૂલાનો ઉપયોગ કરનાર મહિલાઓ જણાવી રહી છે કે આ ચૂલો ઝડપથી સળગતો હોય અમારો સમય બચતો હોય અમે અન્‍યકામો કરી શકીએ છીએ.
કોઈ પણ જાતના ભેદભાવ વગર, રાજકીય પક્ષ-પક્ષી છોડીને 43000 જેટલા નિર્ધુમ ચૂલાઓનું વિનામૂલ્‍યે વિતરણ થઈ ચૂકયું છે. ત્‍યારે આ ચૂલાનો ઉપયોગ કરનાર મહિલાઓના ચહેરા પર રાહતની અનેરી ખુશી છલકાયેલી જોવા મળી રહી છે.

રસોઈ બનાવતી મહિલાઓની વેદના છલકાઈ
નિર્ધુમ ચૂલામાં નાનું એક લાકડુંથી ચારથી પાંચ જણાની રસોઈ તૈયાર થઈ જાય છે અને એનાથી લાકડાની પણ બચત થાય છે : ગૃહિણી મહિલા રેશ્‍મા પટેલ રાનવેરી ખુર્દ.

Related posts

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે નવી દિલ્હીમાં ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તકનું વિમોચન કર્યું

vartmanpravah

વાપી સેલવાસ માર્ગ ઉપર નિર્માણાધિન ડ્રેનેજ કામગીરીમાં નરી આંખે વેઠ ઉતારાઈ રહ્યાની બુમરાણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

vartmanpravah

Leave a Comment