January 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાએ સંઘપ્રદેશ પ્રશાસનની યોજનાની ઘરઆંગણે આવી આપેલી જાણકારીથી બહેનો ખુબ જ પ્રભાવિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણ અને દીવના પૂર્વ સાંસદ તથા ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ના નેતૃત્‍વમાં આજે મોટી દમણના નાયલાપારડી ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોના એક જૂથને સંઘપ્રદેશ પ્રશાસનની આત્‍મનિર્ભર ભારત યોજના અંગે સમજ આપી હતી અને તેનો લાભ લેવા માટે બહેનોને પ્રેરિત કરી હતી.
દમણ અને દીવના પૂર્વ સાંસદ તથા ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી ગોપાલ દાદાએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસન દ્વારા ગીર ગાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા ખુબ આગ્રહી છે અને તેમણે ગીર ગાય યોજનામાં સબસીડીનો લાભ પણ દાખલ કરેલ છે. તેથી ગીર ગાયની યોજનાનો વધુમાં વધુ લાભ લેવા બહેનોને સમજ આપી હતી અને ‘સેલ્‍ફ હેલ્‍પગ્રુપ’ દ્વારા નાના પાયે પોતાની સહકારી મંડળીનો આરંભ કરી 10 ગાયથી શરૂઆત કરવા માર્ગદર્શન આપ્‍યું હતું.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાએ સંઘપ્રદેશ પ્રશાસનની યોજનાની ઘરઆંગણે આવી આપેલી જાણકારીથી બહેનો ખુબ જ પ્રભાવિત થઈ હતી અને આ બાબતે તેઓએ પોતાના ગ્રુપમાં ચર્ચા કરી અમલ કરવા અભિપ્રાય આપ્‍યો હતો. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, નાયલાપારડીના યુવા આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિ તથા યુવા નેતા શ્રી લાલાભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા સિવાય પણ મનુષ્યની અંદર વસતા ભગવાનના કારણે જ માનવનું ગૌરવ છે, તેજ ખરૂં મનુષ્ય ગૌરવ છેઃ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

આજે વિશ્વ ટીબી દિવસઃ સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૧૩૮૬૮ દર્દી સપડાયા

vartmanpravah

Leave a Comment