July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્‍ગ્‍યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કામગીરી પૂરજોશમાં

કુલ 2,18,376 વ્‍યક્‍તિઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્‍યાઃ 6 મહિનામાં 6,93,002 શંકાસ્‍પદ મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનો તપાસવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: ચોમાસાની ઋતુમાં વાહકજન્‍ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગોનું પ્રમાણ વધે નહી એ માટે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં પુરજોશમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સની કામગીરી ચાલી રહી છે.
જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીમાં કુલ 2,18,376 વ્‍યક્‍તિઓના લોહીના નમૂનાઓ લેવામાંઆવ્‍યા છે. જાન્‍યુઆરી થી જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ 6 નોંધાયા છે. જ્‍યારે ડેન્‍ગ્‍યુના અત્‍યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં 199 કેસ ડેન્‍ગ્‍યુના શંકાસ્‍પદ જોવા મળ્‍યા છે. દરેક ડેન્‍ગ્‍યુના કેસો સામે રોગ અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે. જાન્‍યુઆરીથી જૂન 2023 સુધીમાં 6,93,002 શંકાસ્‍પદ મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનો તપાસતા કુલ 1741 જગ્‍યાઓ પોઝિટિવ મળી આવતા 11,530 સ્‍થળોએ ટેમીફોસ દ્રાવણ નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. 135 ઘરોમાં ફોગીંગની કામગીરી થઈ હતી. આ ઉપરાંત 31450 જેટલી મચ્‍છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્‍યું છે. જેને પગલે વાહકજ્‍ન્‍ય રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે. ડેન્‍ગ્‍યુના કેસોમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

Related posts

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

બાળકના જન્‍મ પહેલાંથી લઈ તેના અભ્‍યાસ અને આરોગ્‍યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment