Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્‍ગ્‍યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કામગીરી પૂરજોશમાં

કુલ 2,18,376 વ્‍યક્‍તિઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્‍યાઃ 6 મહિનામાં 6,93,002 શંકાસ્‍પદ મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનો તપાસવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05: ચોમાસાની ઋતુમાં વાહકજન્‍ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગોનું પ્રમાણ વધે નહી એ માટે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં પુરજોશમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સની કામગીરી ચાલી રહી છે.
જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીમાં કુલ 2,18,376 વ્‍યક્‍તિઓના લોહીના નમૂનાઓ લેવામાંઆવ્‍યા છે. જાન્‍યુઆરી થી જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ 6 નોંધાયા છે. જ્‍યારે ડેન્‍ગ્‍યુના અત્‍યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં 199 કેસ ડેન્‍ગ્‍યુના શંકાસ્‍પદ જોવા મળ્‍યા છે. દરેક ડેન્‍ગ્‍યુના કેસો સામે રોગ અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે. જાન્‍યુઆરીથી જૂન 2023 સુધીમાં 6,93,002 શંકાસ્‍પદ મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનો તપાસતા કુલ 1741 જગ્‍યાઓ પોઝિટિવ મળી આવતા 11,530 સ્‍થળોએ ટેમીફોસ દ્રાવણ નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. 135 ઘરોમાં ફોગીંગની કામગીરી થઈ હતી. આ ઉપરાંત 31450 જેટલી મચ્‍છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્‍યું છે. જેને પગલે વાહકજ્‍ન્‍ય રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે. ડેન્‍ગ્‍યુના કેસોમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment