April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

દાનહમાં અત્‍યાર સુધીમાં વિવિધ જગ્‍યાએ કુલ 5551 વૃક્ષોના છોડવાઓનું કરવામાં આવ્‍યું છે વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા 1લી જુલાઈના રોજથી વન મહોત્‍સવ 2023નો પ્રારંભ કરવામાં હતો. જે અંતર્ગત સાયલી ગામમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં વન વિભાગ તથા પોલીસ વિભાગ, મેડિકલ ટીમ અને વિદ્યાર્થીઓ સાથે 0.20 હેક્‍ટર વિસ્‍તારમાં 4660 જેટલા વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. દાનહમાં અત્‍યાર સુધીમાં વિવિધ જગ્‍યાએકુલ 5551 વૃક્ષોના છોડવાઓનું વાવેતર કરવામાં આવ્‍યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વનવિભાગ દ્વારા દાનહમાં વિવિધ સ્‍થાઓને 510 હેક્‍ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને 1350 જેટલા રોપેલા જૂના વૃક્ષોની જાળવણીનું કામ પણ કરવામાં આવશે. જેમાં સાગ, ખેર, સીસમ, બહેડા, સિવણ, વાંસ, જાંબુ, આમળા, સીતાફળ, મહુડો જેવા વૃક્ષો રોપવામાં આવશે. તો આવો આપણે સૌ સાથે મળી આપણા પ્રદેશને ‘ગ્રીન દાનહ’ બનાવીએ અને જ્‍યાં પણ ખાલી જગ્‍યા મળે ત્‍યાં વૃક્ષો રોપીએ.
આજના વૃક્ષારોપણ પ્રસંગે પ્રશાસકના સલાહકાર સહિત દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, વનવિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, સી.એફ. શ્રી પ્રશાંત રાજગોર, ડી.સી.એફ. શ્રી રાજતિલક અને શ્રી થોમસ વર્ગિસ, એ.સી.એફ. શ્રી વિજયકુમાર પટેલ અને વન વિભાગના કર્મચારીઓ તથા પોલીસ વિભાગથી ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બરે, એસ.પી. શ્રી આર.પી.મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, પી.આઈ., પી.એસ.આઈ., પોલીસકર્મચારીઓ, મેડીકલ વિભાગની ટીમ, સાયલી ગામના સરપંચ, ગ્રામ પંચાયત સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી મોયા પાયે વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.15 જાન્‍યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્‍ફરન્‍સના માધ્‍યમથી સંવાદ કરશે

vartmanpravah

Leave a Comment