Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ઝૂનોટીક સંક્રમણ અથવા જાનવરોથી કોઈ કારણસર થતી અને ફેલાતી બીમારીઓ અંગે એના બચાવ અને ઈલાજ સંદર્ભે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને એના પર ચર્ચાના ઉદ્દેશ્‍યથી દર વર્ષે 6 જુલાઈના રોજ દુનિયાભરમાં ‘ઝૂનોટીક દિવસ’ મનાવવામાં આવે છે. જેના સંદર્ભમાં કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગે પ્રદેશના લોકોને ઝૂનોટિક સંક્રમણ પ્રત્‍યે જાગૃત કરવા માટે વિશ્વ ઝૂનોટીક દિવસની ઉજવણવી કરવામાં આવી હતી. આ વર્ષે ‘વિશ્વ ઝૂનોટીક’ દિવસની થીમ ‘એક વિશ્વ, એક આરોગ્‍ય’ ઝૂનોટીકને રોકી રાખવામાં આવી છે. જેનો ઉદ્દેશ્‍ય તમામ લોકોને ઝૂનોટિક રોગ અંગે જાગૃત કરવાનો અને બચાવ માટેના ઉપાયો કરવાનો છે.
આ વાતને જન જન સુધી પહોંચાડવા અને લોકોમાં ઝૂનોટીક રોગો અંગે અવગત કરવા માટે પ્રદેશમાં આરોગ્‍ય વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશમાં દરેક ગામમાં આરોગ્‍યકર્મીઓ દ્વારા લોકોને ગ્રુપ મિટિંગ દ્વારા જાગૃત કરવામાં આવ્‍યા હતા અને મેડિકલ તથાનર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓના માટે વિશેષ વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આરોગ્‍યકર્મીઓ માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશના આરોગ્‍યકર્મીઓને ઝૂનોટિક બીમારીના સંક્રમણ, લક્ષણ, રોકથામ અને બચાવના ઉપાયો વિશે વિસ્‍તારથી માહિતી આપવામાં આવી હતી. નમો મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ડ્રોઈંગ સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઝૂનોટીક સંક્રમણ અંગે પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા.

Related posts

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

Leave a Comment